શું સોનાના ભાવમાં થતી વધઘટ તમારા હોમ લોન EMI ને અસર કરી શકે છે?
શું સોનાના ભાવમાં થતી વધઘટ તમારા હોમ લોન EMI ને અસર કરી શકે છે? આ રહ્યો ધિરાણ ખર્ચ સાથેનો સંબંધ
અમદાવાદઃ સોનાના ભાવ કદાચ તમારા હોમ લોન માસિક હપતાને સીધી રીતે નક્કી નથી કરતા, પરંતુ તેમાં થતી તીવ્ર વધઘટ ફુગાવો (મોંઘવારી), રૂપિયો અને આરબીઆઈના વ્યાજ દર અંગેના નિર્ણયોને પ્રભાવિત કરી શકે છે. વર્તમાન અને સંભવિત ઘર ખરીદદારો માટે આ કિંમતી ધાતુની હિલચાલ ધિરાણ ખર્ચને પરોક્ષ રીતે કેવી રીતે અસર કરી શકે છે તે સમજાવવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે.
ભારત સોનાના વિશ્વના સૌથી મોટા ગ્રાહકો અને આયાતકારોમાંનું એક છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવ વધે છે, ત્યારે દેશનું આયાત બિલ વધી શકે છે, જે ચાલુ ખાતાની ખાધ (કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ) ને વિસ્તૃત કરે છે અને રૂપિયા પર દબાણ લાવે છે. સોનાના ભાવમાં સતત ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે, ઘણા ઘર ખરીદદારો અને લોન લેનારાઓ પૂછી રહ્યા છે કે શું આ કિંમતી ધાતુના ભાવમાં થતા ફેરફારો તેમના હોમ લોનના માસિક હપતાને અસર કરી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ભલે આ બંને વચ્ચે કોઈ સીધો સંબંધ નથી, પરંતુ સોનાના ભાવની હિલચાલ ફુગાવા, રૂપિયા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વ્યાજ દરના નિર્ણયોને અસર કરીને ધિરાણ ખર્ચને પરોક્ષ રીતે પ્રભાવિત કરી શકે છે.
‘ફિનએટવર્ક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર’ ના સ્થાપક અને સેબી (SEBI) રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના જણાવ્યા અનુસાર હોમ લોનના માસિક હપતા લોનની રકમ, સમયગાળો (ટેન્યોર), વ્યાજ દર અને બેન્ચમાર્ક ધિરાણ દર જેવા પરિબળો દ્વારા નક્કી થાય છે. સોનાના ભાવને ધ્યાનમાં રાખીને તે નક્કી કરવામાં આવતા નથી. સોનાના ભાવ હોમ લોન માસિક હપતાને સીધી અસર કરતા નથી. આ અસર પ્રત્યક્ષ નહિ, પરોક્ષ છે. સોનાના ભાવ ઝડપથી વધે અને ફુગાવામાં ફાળો આપે અથવા રૂપિયા પર દબાણ લાવે, તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લાંબા સમય સુધી વ્યાજ દરો ઊંચા રાખી શકે છે. તે આખરે ફ્લોટિંગ-રેટ હોમ લોનને અસર કરી શકે છે.
સોનાના ભાવ લોનના દરોને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે
ભારત સોનાના વિશ્વના સૌથી મોટા ગ્રાહકો અને આયાતકારોમાંનું એક છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવ વધે છે, ત્યારે દેશનું આયાત બિલ વધી શકે છે, જે ચાલુ ખાતાની ખાધને વિસ્તૃત કરે છે અને રૂપિયા પર દબાણ લાવે છે. નબળો રૂપિયો આયાત ખર્ચમાં વધારો કરે છે, જે ઊંચા ફુગાવામાં ફાળો આપી શકે છે. જો ફુગાવો ઊંચો રહે છે, તો આરબીઆઈ કિંમતના દબાણને નિયંત્રણમાં રાખવા માટે વ્યાજ દરમાં ઘટાડો કરવાનું ટાળી શકે છે અથવા કડક નાણાકીય નીતિ જાળવી રાખી શકે છે. આવી સ્થિતિમાં, બેંકો ઊંચા ધિરાણ દરો વસૂલવાનું ચાલુ રાખી શકે છે, ખાસ કરીને ફ્લોટિંગ-રેટ હોમ લોન પર કે જે બાહ્ય બેન્ચમાર્ક (એક્સ્ટર્નલ બેન્ચમાર્ક) સાથે જોડાયેલી હોય છે,” બંસલે સમજાવ્યું. જોકે સોનું પોતે હોમ લોનના દરો નક્કી કરતું નથી, પરંતુ વ્યાપક અર્થતંત્ર પર તેની અસર વ્યાજ દરના વાતાવરણને પ્રભાવિત કરી શકે છે.
શું વર્તમાન લોન લેનારાઓએ ચિંતા કરવી જોઈએ?
બજારના નિષ્ણાતો માને છે કે વર્તમાન હોમ લોન લેનારાઓએ માત્ર સોનાના ભાવની હિલચાલને જોઈને પ્રતિક્રિયા આપવી જોઈએ નહીં. તેના બદલે, તેઓએ આરબીઆઈની નાણાકીય નીતિના નિર્ણયો, તેમની બેન્કના ધિરાણ દરોમાં થતા ફેરફારો અને તેમની ફ્લોટિંગ-રેટ લોન પર લાગુ પડતી રીસેટ તારીખોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ. સોનામાં આવતો ઉછાળો ફુગાવા અથવા વૈશ્વિક અનિશ્ચિતતાના ચેતવણી સંકેત તરીકે કામ કરી શકે છે, પરંતુ તે લોનના માસિક હપતાની રકમ વધવા માટેનું સીધું કારણ નથી. ફ્લોટિંગ-રેટ લોન ધરાવતા ગ્રાહકો માટે, જ્યારે પણ ધિરાણ દરો વધે છે ત્યારે બેન્કો કાં તો લોનના માસિક હપતાની રકમ વધારી શકે છે અથવા લોન પરત કરવાનો સમયગાળો લંબાવી શકે છે. હોમ લોનના સંભવિત માસિક હપતાના વધારાને પહોંચી વળવા માટે નાણાકીય બફર (આકસ્મિક ભંડોળ) જાળવી રાખવાથી લોન લેનારાઓ આવી પરિસ્થિતિઓને વધુ સરળતાથી સંભાળી શકે છે.
ઘર ખરીદદારોએ શેના પર નજર રાખવી જોઈએ?
જેઓ ઘર ખરીદવાનું આયોજન કરી રહ્યા છે, નિષ્ણાતો તેમને સોનાના ભાવની પાછળ દોડવાને બદલે ધિરાણ ખર્ચને સીધી રીતે નક્કી કરતા પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરવાની ભલામણ છે. સંભવિત લોન લેનારાઓએ આરબીઆઈની નીતિગત જાહેરાતો, બેન્કો દ્વારા ઓફર કરવામાં આવતા બેન્ચમાર્ક ધિરાણ દરો, તેમના ક્રેડિટ સ્કોર, લોનનો સમયગાળો અને બેન્ચમાર્ક દરો પર લેવામાં આવતા સ્પ્રેડ (વધારાના ચાર્જ પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
જ્યારે સોનાના ભાવ વ્યાપક આર્થિક પરિસ્થિતિઓનો સંકેત આપી શકે છે, પરંતુ તેઓ કોઈ વ્યક્તિગત હોમ લોન પરના વ્યાજ દર નક્કી કરતા નથી. સરળ નિયમ એ છે કે મેક્રો ઇકોનોમિક (વ્યાપક આર્થિક) સંકેતો માટે સોના પર, વ્યાજ દરોની દિશા માટે આરબીઆઈ પર અને ધિરાણના વાસ્તવિક ખર્ચ માટે બેન્કો પર નજર રાખવી જોઈએ. ઘર ખરીદદારો માટે, સોનાના ભાવમાં થતી ટૂંકા ગાળાની વધઘટ કરતાં લોનની ઓફર્સની સરખામણી કરવી, મજબૂત ક્રેડિટ પ્રોફાઇલ જાળવવી અને યોગ્ય લોનની શરતો પસંદ કરવી વધુ મહત્વપૂર્ણ પણ ગણાય છે.
