• 5 August, 2026 - 11:06 PM

શેરબજારમાં કરેલા રોકાણના નફા પર લેવાતા LTCGનો બોજ ઓછો કરવા માગણી

પગાર, બચતના વ્યાજ પર ટેક્સ ચૂકવ્યા પછી શેરબજારમાં કરેલા રોકાણના નફા પર લેવાતા LTCGનો બોજ ઓછો કરવા માગણી

ફુગાવાનો પ્રતિકાર કરીને રૂપિયાની ખરીદ શક્તિ જાળવવાના પ્રયાસનો નાકામિયાબ બનાવતો લોન્ગટર્મ કેપિટલ ગેઈન ટેક્સ

પગારની આવક પર, બચના વ્યાજ પર વેરો ચૂકવ્યા પછી ફુગાવા સામે ટકી રહેવા માટે અને નાણાંની ખરીદ શક્તિ જાળવી રાખવા માટે કરવામાં આવતા રોકાણ પર થતાં નફા પર લેવામાં આવતો લાંબા ગાળાના મૂડીલાભ પરના વેરાને દૂર કરી દેવાની માગણી ઊઠી રહી છે.

કરદાતાઓનો મુખ્ય વિરોધ એ વાત સામે છે કે એક સામાન્ય નાગરિક પોતાની સખત મહેનતથી કમાયેલા પગાર પર પહેલા ઈન્કમ ટેક્સ ચૂકવે છે. ત્યારબાદ બચેલા નાણાં બેંકમાં મૂકતા મળતા વ્યાજ પર ટેક્સ લાગે છે. ત્યારબાદ તેની પાસે બચતા નાણાંને ફુગાવા સામે રક્ષણ મેળવવા શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકે છે, ત્યારે તેના પર પણ લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ-LTCG ટેક્સ લાગે છે. તેમાંય એલટીસીજી ૧૦ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરી દેવામાં આવ્યો છે. એલટીસીજીનો વધારો કરદાતાઓને માટે અન્યાયકર્તા છે.

સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં પણ દસથી વીસ વરસે થતાં લાભ પર 30 ટકા સુધીનો આવકવેરો લાગે છે. આમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં 25થી 30 ટકાનો મહત્તમ લાભ મળતો હોય છે. આ લાભમાંથી પણ લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં 50 ટકાની આસપાસનો હિસ્સો ખેંચાઈ જાય છે. પરિણામે ફુગાવા સામે રક્ષણ મેળવવું કઠિન બની રહ્યું છે. રોકાણકારોને પંદર વીસ વરસે મળતા વળતરની ખરીદ શક્તિ તૂટીને તળિયે આવી રહી છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ટેક્સ નિષ્ણાતોએ સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે કેપિટલ ગેઇન્સ અને ટેક્સની જોગવાઈઓ નાણાકીય નિયમો હેઠળ નક્કી કરવામાં આવે છે. જોકે, નિષ્ણાતોએ એ પણ સ્વીકાર્યું છે કે કરદાતાઓએ યોગ્ય ટેક્સ પ્લાનિંગ (કર આયોજન) કરવું જોઈએ જેથી કાયદાકીય રીતે પોતાના ટેક્સની બચત કરી શકાય અને નાણાકીય આયોજન વધારે મજબૂત બનાવી શકાશે.

મૂડી વધારવા દર વર્ષે રૂ. 1.25 લાખનો લોન્ગટર્મ કેપિટલ ગેઈન ટેક્સ બુક કરી લો

લોન્ગટર્મ કેપિટલ ગેઈનમાંથી વરસે દહાડે રૂ. 1.25 લાખનો એલટીસીજીને બાદ આપવામાં આવે છે. શેરબજારના કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્માં કરેલા રોકાણમાંથી દર વરસે રૂ. 1.25 લાખનો લાંબાગાળાનો મૂડી નફો ઉપાડીને ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો 10 વર્ષ બાદ કરવામાં આવતા ઉપાડમાં તમારા રોકાણની મૂડીમાં 12.5 લાખનો અને 20 વર્ષે રૂ. 25 લાખનો વધારો થાય છે. તેના પર 30 ટકા ટેક્સ ગણીએ તો રૂ. 4 લાખથી માંડીને રૂ. 8 લાખની વેરાની બચત પણ થાય છે. આમ વરસે દહાડે રૂ. 1.25 સુધીનો કેપિટલ ગેઈન ટેક્સ થાય તે રીતે ઉપાડ  કરીને વેરાની બચત કરી શકાય છે. આવકવેરા ધારાની કલમ 112 (એ) હેઠળ આ લાભ આપવામાં આવે છે. આ લાભ દરેક ઇન્વેસ્ટરે લેવો જોઈએ.

Read Previous

યુકે સાથેના FTA થી ટેક્સટાઇલ સેક્ટર માટે ૧ અબજ ડોલરની નિકાસની તકો ખુલી શકે છે

Most Popular