મસ્કતી કાપડ મહાજનમાં જીએસટી અંગે સેમિનાર: ઈ-વે બિલની મુદત આઠ કલાકથી વધુ લંબાવી શકાતી જ નથી
મસ્કતી કાપડ મહાજનમાં જીએસટી અંગે સેમિનાર: ઈ-વે બિલની મુદત આઠ કલાકથી વધુ લંબાવી શકાતી જ નથી
ઈ-વે બિલ માટે ઓનલાઈન અરજી કરનારાઓ પાર્ટ બી ભરી દે તે પછી આઠ કલાક સુધી જ તેની મુદત ચાલુ રહે છે, ત્યારબાદ તેની મુદત લંબાવી શકાતી ન હોવાનું મસ્કતી કાપડ મહાજનમાં યોજવામાં આવેલા એક સેમિનારના નિષ્ણાતોએ જણાવ્યું હતું. ઈ-વે બિલના અનુસંધાનમાં દસ્તાવેજોની ક્ષતિઓને લગતી કલમ ૧૨૯ અને માલની જપ્તીને લગતી કલમ ૧૩૦ વચ્ચેના તફાવતને સમજાવતા નિષ્ણાતોએ પ્રસ્તુત રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કરચોરીના ઇરાદા વિના થયેલા ટેકનિકલ ભૂલ માટે દંડ કરી શકાતો નથી. ટેકનિકલ ભૂલ હોવા છતાંય વેપારીઓના માલ લઈ જતાં વાહનને રોકવામાં આવે વેપારીએ માલ છોડાવતી વખતે અન્ડર પ્રોટેસ્ટ તે રકમ જમા કરાવવી જોઈએ.
જોબવર્કના દસ્તાવેજોની વાત કરતાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કાપડ પ્રોસેસિંગ, ડાઈંગ કે એમ્બ્રોયડરીનો માલ મોકલતી વખતે સાદી ચિઠ્ઠી બનાવવી જોઈએ નહિ. સાદી ચિઠ્ઠી કે ગેસપાસથી માલ મોકલવામાં આવે તો તેવા સંજોગોમાં એક વર્ષમાં માલ પરત ન આવે તો તેને ડિમ્ડ સપ્લાય ગણીને તેના પર ૧૮ ટકા વ્યાજ સાથેની વેરાની જવાબદારી ઊભી કરવામાં આવે છે. આ સમસ્યાને ઉકેલવા માટે વેપારીઓએ માલ પરત આવ્યાની તારીખ દર્શાવતું ચલણનું રજિસ્ટર રાખવું જોઈએ. તેમ જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટેનું ફોર્મ-૦૪ નિયમિત ભરી દેવું જોઈએ
જીએસટીએન રદ થયું હોય તેવા વેપારી પાસથી ખરીદી
માલ વેચનારે ટેક્સ જમા ન કરાવ્યો હોય તો ખરીદનારની ઇનપુટ ટેક્સ ક્રેડિટ જોખમમાં આવે છે. આ સમસ્યા ઊભી ન થાય તે માટે માલ ખરીદનાર વેપારીએ વેચનાર વેપારીનો જીએસટીએન નંબર ચકાસી લેવો જોઈએ. તેમ જ તે નિયમિત રિટર્ન ફાઈલ કરે છે કે નહિ તેની ખાતરી પણ કરી લેવી જોઈએ. માલ વેચનારને તમામ ચૂકવણી ચેકથી જ કરવી જોઈએ. તેમ જ દર મહિને જીએસટીઆર-૨બી સાથે તેની મેળવણી પણ કરી લેવી જરૃરી છે. આ સાથે જ ખરીદીના ઓર્ડરમાં ટેક્સ રિટેન્શનની અને ઇન્ડેમ્નિટીની કલમનો ઉમેરો કરવાની પણ નિષ્ણાતોએ ભલામણ કરી હતી.
ઇનપુટ ટેક્સ ક્રેડિટનું રિફંડ
ટેક્સટાઈલના બિઝનેસની સમગ્ર ચેઈન પર કાચા માલ પર વધુ ટેક્સ અને ફિનિશ્ડ ગુડ્સ પરના ઓછા ટેક્સની જોગવાઈને કારણે તેમના ૫ ટકા નાણાં સતત ફસાયેલા રહેતા હોવાની સમસ્યાનો ઉકેલ લાવવાનો સપ્ટેમ્બર ૨૦૨૫માં પ્રયાસ કરવામાં આવ્યો છે. જૂની એકત્રિત થયેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ બે વર્ષની મુદતમાં જ માગી શકાતી હોવાનું જણાવતા નિષ્ણાતોએ કહ્યું હતું કે પોર્ટલ પર આવેલા ડેફિશિયન્સી મેમોનો સમયસર જવાબ ન આપ્યો હોવાથી રિફંડ મળતા નથી.
માલ ખરીદનાર પૈસા ન આપે તો ડિપાર્ટમેન્ટ કંઈ જ ન કરી શકે
માલ ખરીદનાર માલ વેચનારને પૈસા ન આપે તો ડિપાર્ટમેન્ટ કશું જ કરી શકતું નથી. તેમ જ વેપારીને તે આર્થિક વેહવાર પર વેરામાં માફી પણ મળી શકતી નથી. આ નુકસાન વેપારીએ જ ભોગવવાનું આવે છે. આ સમસ્યાનો ઉકેલ આપતા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ૧૮૦ દિવસમાં નાણની ચૂકવણી ન થાય તો નિયમ નંબર ૩૭ હેઠળ ખરીદનારે ક્રેડિટ પરત કરવી પડે છે. આ અંગે ૧૫૦ દિવસ બાદ લેખત પત્રવ્યવહાર કરવો જોઈએ. તેમ જ આવકવેરા ધારાની કલમ ૪૩ બી(એચ)માં કરવામાં આવેલી જોવગાઈ હેઠળ તથા નાના અને મધ્યમ ઉદ્યોગ માટે એમએસએમઈ સમાધાન યોજના હેઠળ પગલાં લઈ શકાય છેચ. તેમ જ ચેક રિટર્ન થયો હોય તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ કેસ કરી શકાય છે. કલમ ૨૭ હેઠળ સમરી દાવો કરવા અંગે પણ નિષ્ણાતોએ વેપારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
