• 20 August, 2026 - 4:21 PM

ખાંડના ડીલરો હવે 15 દિવસથી વધુ સમય ચાલે તેટલો સ્ટોક નહિ રાખી શકે

રેકોર્ડ સ્તરે પહોંચેલા ભાવ વચ્ચે ભારતે ખાંડની ઇન્વેન્ટરી મર્યાદા ઘટાડીને ૧૫ દિવસ કરી

તહેવારોની સીઝનની વધતી માંગ, વિપરીત હવામાન અને પુરવઠામાં ખેંચને કારણે ભારતના ખાંડ બજાર પર દબાણ વધતાં સરકારે નવું હસ્તક્ષેપ કર્યું 

નવા આદેશનો 30 નવેમ્બર સુધી ચાલુ રહેશેઃ ખાંડના વધી રહેલા ભાવને અંકુશમાં લેવા માટે પગલું લેવામાં આવ્યું 

તહેવારોની સીઝન પહેલાં ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચતાં, ભારતે ખાંડના સ્ટોક રાખવાની મર્યાદા કડક બનાવી છે. મહિને ૧૦ મેટ્રિક ટનથી વધુનો વેપાર કરતા ડીલરોને ૧ સપ્ટેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી ૧૫ દિવસથી વધુનો સ્ટોક ન રાખવા આદેશ આપ્યો છે.

બુધવારે બહાર પાડવામાં આવેલા સરકારી આદેશ અનુસાર, ખાંડના રેકોર્ડ ભાવને અંકુશમાં લેવાના હેતુથી ભારતે આદેશ આપ્યો છે કે મહિનામાં ૧૦ મેટ્રિક ટનથી વધુ ગળ્યા પદાર્થ (ખાંડ)નો ઉપયોગ કરતા કોઈપણ ડીલર ૧૫ દિવસથી વધુ સમય માટે સ્ટોક રાખી શકશે નહીં.

આ નોટિફિકેશન મુજબ, આ આદેશ ૧ સપ્ટેમ્બરથી અમલમાં આવશે અને ૩૦ નવેમ્બર સુધી અમલમાં રહેશે. મંગળવારે, રોઇટર્સ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો કે ભારત ખાંડના પુરવઠાને પ્રોત્સાહન આપવા અને રેકોર્ડ ભાવને અંકુશમાં લેવા માટેના ઉપાયો પર વિચાર કરી રહ્યું છે, જેમાં મર્યાદિત ડ્યુટી-ફ્રી આયાત અને મોટા વેપારીઓ માટે સ્ટોક રાખવાની મર્યાદા કડક બનાવવાનો સમાવેશ થાય છે. આનાથી લગભગ એક દાયકામાં પહેલીવાર વિદેશથી શિપમેન્ટ (આયાત) કરવાની મંજૂરી મળી શકે છે.

ભારતમાં ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન સામાન્ય રીતે ખાંડની માંગ વધે છે કારણ કે દેશ ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા મુખ્ય તહેવારો ઉજવે છે. જેના કારણે બિસ્કિટ અને કન્ફેક્શનરી ઉત્પાદકો જેવા મોટા ગ્રાહકો તહેવારોની સીઝન પહેલાં સ્ટોક એકઠો કરે છે.

વિશ્વના સૌથી મોટા ખાંડના ઉપભોક્તા એવા ભારતે પુરવઠો વધારવાના પ્રયાસરૂપે ગયા મહિને ડીલરોને ૩૦ દિવસથી વધુ સ્ટોક ન રાખવા આદેશ આપ્યો હતો. છતાં, છેલ્લા એક મહિનામાં ભારતીય ખાંડના ભાવ ૧૦% વધીને રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા છે અને પુરવઠો ઘટતાં તેમજ તહેવારોની માંગ સ્પીડ પકડતાં આગામી ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી ભાવ ઊંચા રહેવાની ધારણા છે.

અનિયમિત વરસાદ અને શુષ્ક હવામાનના કારણે શેરડીના પાકને અસર થઈ છે, જેને સિંચાઈ માટે સામાન્ય રીતે વિપુલ પ્રમાણમાં પાણીની જરૂર હોય છે.

ભારતમાં ખાંડ રાજકીય રીતે સંવેદનશીલ છે, જ્યાં મીઠાઈઓ ખૂબ જ લોકપ્રિય છે અને ઘણા ગરીબ પરિવારો કેલરીના સસ્તા સ્ત્રોત તરીકે તેના પર નિર્ભર છે.

Read Previous

મસ્કતી કાપડ મહાજનમાં જીએસટી અંગે સેમિનાર: ઈ-વે બિલની મુદત આઠ કલાકથી વધુ લંબાવી શકાતી જ નથી

Read Next

આજે શેરબજારમાં શું કરશો?

Most Popular