• 5 September, 2026 - 11:12 AM

સ્ટેટ જીએસટીની આવક ખૂટતા વડોદરા, આણંદ ને નડિયાદના 50થી 60 જ્વેલર્સ પર દરોડા

સ્ટેટ જીએસટીની આવક ખૂટતા વડોદરા, આણંદ ને નડિયાદના 50થી 60 જ્વેલર્સ પર દરોડા

દરોડા પાડનારા અધિકારીઓએ જ્વેલર્સને કહ્યું તમે જીએસટીની ચોરીની કોઈપણ રકમની જાહેરાત કરી દો અને તપાસ કર્યા વિના ચાલ્યા જઈશું

અમદાવાદઃ ગુજરાત રાજ્યની અમદાવાદ, મહેસાણા અને વડોદરાની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કચેરીના અધિકારીઓએ ત્રીજી સપ્ટેમ્બરે વડોદરા, નડિયાદ અને આણંદના 50થી 60 જ્વેલર્સ પર દરોડા પાડ્યા છે. વડોદરા નારાયણ જ્વેલર્સ, સી.એચ.જ્વેલર્સ અને સારા ગણદેવીકર જ્વેલર્સ પર દરોડા પાડવામાં આવ્યા છે.

દરોડા પાડનારા અધિકારીઓએ જ્વેલર્સને કહ્યું તમે જીએસટીની ચોરીની કોઈપણ રકમની જાહેરાત કરી દો અને તપાસ કર્યા વિના ચાલ્યા જઈશું. આમ ગુજરાતની જીએસટીની આવક અપેક્ષા કરતાં ઓછી થઈ રહી હોવાથી તેમણે આડેધડ દરોડા પાડીને જ્વેલર્સ પાસેથી કરચોરીની કબૂલાત કરાવવાની કવાયત ચાલુ કરી દીધી છે. 

આણંદ અને નડિયાદના જ્વેલર્સને પણ ઝપેટમાં લેવામાં આવ્યા છે. તેમના અહેવાલની રાહ જોવામાં આવી રહી છે.

Read Previous

વેપારીએ જાહેર ન કરેલી આવક પર મનસ્વી રીતે નફો બતાવી ટેક્સની જવાબદારી ઊભી ન કરી શકાય

Read Next

ડીજિટલ અરેસ્ટ કેસોમાં CBIના 20 રાજ્યોમાં 89 સ્થળોએ દરોડા, 3 ની ધરપકડ

Most Popular