• 5 September, 2026 - 11:06 AM

મહિનામાં ભારતીય ડુંગળીના ભાવ બમણાથી વધુ થયા, ટૂંક સમયમાં ભાવમાં ઘટાડો જોવા મળી શકે

મહિનામાં ભારતીય ડુંગળીના ભાવ બમણાથી વધુ થયા, પરંતુ રાહત ટૂંક સમયમાં મળી શકે છે
કર્ણાટકની ખરીફ ડુંગળી પખવાડિયામાં આવી પહોંચવાની ધારણા છે અને પાક સારો હોવાના અહેવાલથી પરિસ્થિતિ થાળે પડી શકે છે
છેલ્લા એક મહિનામાં એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટીના યાર્ડ્સમાં ડુંગળીના ભાવ બમણા થઈ ગયા છે. પરંતુ ગ્રાહકો માટે રાહત ટૂંક સમયમાં મળી શકે છે કારણ કે નવો કર્ણાટકનો પાક પખવાડિયામાં બજારમાં આવશે, તેમ શુક્રવારે વેપાર સ્ત્રોતોએ જણાવ્યું હતું. “છેલ્લા સપ્તાહમાં ડુંગળીના ભાવમાં રૂ. 1,000 નો વધારો થયો છે. મોડી પડેલી રવી સીઝનનો પાક ઓછો હતો, અને સંગ્રહિત ડુંગળીમાંથી 20-25 ટકા બગડી ગઈ હતી. કોઈપણ રાહત નવો પાક બજારમાં આવ્યા પછી જ મળવાની શક્યતા છે,” તેમ એશિયાના સૌથી મોટા ડુંગળીના બજાર નાસિક સ્થિત મહારાષ્ટ્રના લાસલગાંવ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના પૂર્વ અધ્યક્ષનું કહેવું છે. 
ડુંગળી પ્રતિ કિલો રૂ. 32-50 ની વચ્ચે વેચાઈ રહી છે. રવિ સીઝનના પાકની લણણીમાં કસમયના વરસાદે અસર કરી હતી. ત્યારબાદ, મે અને જૂનમાં અસાધારણ ગરમીએ સંગ્રહિત ડુંગળીને નુકસાન પહોંચાડ્યું હતું. બીજીતરફ ખેડૂતો તેમનો માલ રોકી રહ્યા છે અને ઊંચા ભાવનો લાભ લેવા માટે તેને ધીમે ધીમે બજારમાં મૂકી રહ્યા છે. ખેડૂતો દ્વારા સ્ટોક ધીમે ધીમે કાંદા બજારમાં વેચી રહ્યા હોવાની વાતને દેશના અન્ય વિસ્તારોમાંથી પણ સમર્થન મળ્યું છે. 
પેઢી ડુંગળી સહિતના કૃષિ ઉત્પાદનોની નિકાસ કરનારાઓનું કહેવું છે કે આ વર્ષે સંગ્રહનું નુકસાન ગયા વર્ષના 50 ટકા નુકસાનની સરખામણીમાં કંઈ નથી. વાસ્તવમાં નિકાસ બજારમાં સ્પર્ધાત્મક નથી. પાકિસ્તાન સરકાર દ્વારા નક્કી કરાયેલ $450 ના લઘુત્તમ નિકાસ મૂલ્યની સરખામણીમાં આપણી ડુંગળીની કિંમત ટન દીઠ $600 થી વધુ છે. બીજીતરફ પાકિસ્તાનનો રૂપિયો ભારતીય રૂપિયાની સરખામણીમાં નબળો છે, જેનાથી ઇસ્લામાબાદના ઉત્પાદનને ફાયદો મળે છે.
વૈશ્વિક બજારમાં ઉછાળો
બીજીતરફ નિકાસની માગ ઓછી છે, તેમ છતાં વૈશ્વિક બજારમાં ડુંગળીના ભાવ વધ્યા છે કારણ કે પાકિસ્તાનમાં ઓછો પાક થયો છે. પાકિસ્તાન ઈરાનથી ડુંગળી મગાવી રહ્યું છે. પરંતુ વૈશ્વિક બજારમાં થયેલા વધારાને અનુરૂપ દેશી ભાવમાં વધારો થયો છે. જોકે, કેટલાક સ્થળોએ ડુંગળીના ભાવ વધીને $700-800 પ્રતિ ટન થઈ જતાં કોઈ ખરીદદાર જ નથી. ગ્રાહકોને દિવાળી પછી જ રાહત મળી શકે છે જ્યારે મહારાષ્ટ્રની ખરીફ ડુંગળી બજારમાં પ્રવેશ કરશે. કર્ણાટકનો પાક પરિસ્થિતિને સામાન્ય બનાવશે. જો કર્ણાટકનો પાક તેના ઉત્પાદનના સામાન્ય 60 ટકા પણ હોય, તો પણ તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરતો હશે. કર્ણાટકના પાકની સ્થિતિ સારી છે અને તે ભાવવધારાને નિયંત્રિત કરવામાં મદદ કરશે.
ડુંગળીના સંગ્રહ કરવાના ખર્ચ વધ્યો
ખેડૂતો મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે કારણ કે સંગ્રહ માટે વધારાના ખર્ચ ઉપરાંત ઇનપુટ ખર્ચ વધી રહ્યો છે. વધતા ઇનપુટ અને સ્ટોરેજ ખર્ચને પહોંચી વળવા માટે ખેડૂતોને સીઝનના અંતે ઓછામાં ઓછા રૂ. 30 પ્રતિ કિલો મળવા જોઈએ. હાલના પખવાડિયા પછી કોઈ અછત હોવી જોઈએ નહીં કારણ કે કર્ણાટકમાં લણણી જોરશોરથી ચાલી રહી છે. હાલના ભાવ સારા હોવાથી ખેડૂતો માલ રોકી રાખશે નહીં.
અખિલ ભારતીય સરેરાશ કિંમત
એકવાર આવક વધ્યા પછી ખેડૂતો બેંગલુરુ બજારમાં દરરોજ 70-80 ટન માલ લાવી શકે છે. ખરીફ ડુંગળીનો પાક સરેરાશ હોઈ શકે છે. ખરીફ સીઝનમાં બહુ ઓછો કે બહુ વધારે પાક આવવાની શક્યતા નથી. સરકાર નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન-નાફેડ પાસે રહેલા તેના બફર સ્ટોકનો ઉપયોગ કરશે. પરંતુ મહારાષ્ટ્રના ખેડૂતો પાસે સ્ટોક લગભગ ખાલી થઈ ગયો છે. તેથી ગ્રાહકો માટે રાહત ધીમી રહેશે.
ગ્રાહક બાબતોના વિભાગના પ્રાઇસ મોનિટરિંગ ડિવિઝનના ડેટા દર્શાવે છે કે શુક્રવારે ડુંગળીનો અખિલ ભારતીય સરેરાશ ભાવ રૂ. 50.5 હતો, જે ગયા સપ્તાહથી રૂ. 2 વધ્યો હતો. જોકે, કેટલાક સ્થળોએ તે પ્રતિ કિલો રૂ. 82 જેટલો ઊંચો હતો. આ ઉપરાંત, કેન્દ્ર અને કેટલાક રાજ્યોએ રૂ. 35 પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચવાની પહેલ કરી છે. બાગાયતી પાકોના બીજા આગોતરા અંદાજમાં, કૃષિ મંત્રાલયે વાવેતર વિસ્તારમાં  બે ટકાનો વધારો થવા છતાં 2025-26 ના પાકનો અંદાજ 2024-25 ના 30.77 મિલિયન ટનની સરખામણીએ 30.37 મિલિયન ટન મૂક્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ગાળા દરમિયાન, $82 મિલિયન મૂલ્યની 3.71 લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2025-26 માં, $397.26 મિલિયન મૂલ્યની 15.48 લાખ ટન ડુંગળી બહાર મોકલવામાં આવી હતી.

Read Previous

ડીજિટલ અરેસ્ટ કેસોમાં CBIના 20 રાજ્યોમાં 89 સ્થળોએ દરોડા, 3 ની ધરપકડ

Read Next

નવી વિશ્વાસ યોજના હેઠળ એમ્પ્લોયી પ્રોવિડંન્ટ ફંડના લાંબા સમયથી પેન્ડિંગ નુકસાનના વિવાદો ઘટેલા દરે ઉકેલી દેવા આદેશ 

Most Popular