• 31 May, 2026 - 11:45 PM

ચેક બાઉન્‍સનો કેસ ફરિયાદીની બેન્‍ક જે વિસ્‍તારમાં હોય ત્‍યાંની કોર્ટમાં જ દાખલ કરી શકાશેઃ સુપ્રીમ કોર્ટ

મહત્‍વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઠરાવ્‍યું હતું કે ફરિયાદીની બેંક જે વિસ્‍તારમાં આવેલી હોય તે બેંકના હકુમતક્ષેત્રમાં આવેલી કોર્ટમાં જ ચેક બાઉન્‍સની ફરિયાદ દાખલ કરી શકાશે.

નેગોશિયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એક્‍ટ-1881ની પેટા કલમ હેઠળ ચેક બાઉન્‍સનો કેસ દાખલ કરવામાં આવે છે ત્‍યારે વાદી અને પ્રતિવાદી વચ્‍ચે કોર્ટની હકુમત બાબતે વિવાદ સર્જાતો હોય છે. ઉલ્‍લેખનીય છે કે જ્‍યારે બેંક એકાઉન્‍ટમાં પૂરતા બેલેન્‍સના અભાવે જ્‍યારે ચેક બાઉન્‍સ થાય ત્‍યારે આ એક્‍ટની કલમ 138 અંતર્ગત કેસ દાખલ થતાં હોય છે.

ચેક બાઉન્‍સના કેટલાંક કેસ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્‍સફર કરાયા હતા, તેથી આ કેસની સુનાવણી બાદ ન્‍યાયમૂર્તિ જે.બી પારડીવાલા અને આર. મહાદેવનની બેન્‍ચે આ કાનૂની કોયડાનો કાયમ માટે ઉલેક લાવી દીધો હતો.

એમ બેંચે પોતાનું અવલોકન વ્‍યક્‍ત કરતાં કહ્યું કે સુનાવણી દરમ્‍યાન જે ચર્ચા થઇ જેને ધ્‍યાનમાં રાખતા એક બાબત તદ્દન સ્‍પષ્ટ થઇ જાય છે કે ફરિયાદી પોતાના નાણાં પરત મેળવવા માટે જ્‍યારે દેવાદારે આપેલાં ચેકને બેંકમાં રજૂ કરે છે અને તે ચેક બાઉન્‍સ થાય છે એવા સંજોગોમાં તે એક્‍ટની પેટા કલમ-138 અંતર્ગત જે કોર્ટમાં કેસ દાખલ કરે છે તે કોર્ટ વાસ્‍તવમાં બેંકના હકુમતક્ષેત્રમાં જ આવેલી હોવી જરૂરી છે.

Read Previous

એરબસે 6,000 જેટ પરત ખેંચ્યા, વિશ્વભરની ઉડાનોને અસર, ભારતમાં 200 થી 250 વિમાનો પ્રભાવિત થશે

Read Next

સોલાર પેનલના ભંગારમાંથી ચાંદી મેળવવાનો મજબૂત વ્યવસાય

Most Popular