• 2 September, 2026 - 8:32 AM

ભારતીય જેન ઝીમાં વિદેશ અભ્યાસ કરવાનો ઘટી રહેલો ક્રેઝઃ અમેરિકાને સૌથી મોટો ફટકો પડ્યો

ભારતીય જેન ઝીમાં વિદેશ અભ્યાસ કરવાનો ઘટી રહેલો ક્રેઝઃ અમેરિકાને સૌથી મોટો ફટકો પડ્યો
ઇમેરિટસના ‘ઇન્ડિયા જેન ઝી આઉટલુક ૨૦૨૬’ રિપોર્ટમાંથી આવ્યા છે, જેમાં ભારતના અગ્રણી મેટ્રો શહેરોમાં ૧૫ થી ૨૮ વર્ષની વયના ઉત્તરદાતાઓનો સર્વે કરવામાં આવ્યો હતો.
વિદેશમાં વધતો ખર્ચ, વિઝા સંબંધિત અસ્થિરતા અને અભ્યાસ પછી કામ કરવાની તકો વિશેની ચિંતાઓને કારણે યુવાન ભારતીયો વિદેશ અભ્યાસના પરંપરાગત માર્ગ પર પુનર્વિચાર કરી રહ્યા છે. ઇમેરિટસના નવા સંશોધન મુજબ હવે ઘણા લોકો ભારતમાં આધારિત આંતરરાષ્ટ્રીય શિક્ષણ પ્રોગ્રામ્સ પર વિચાર કરી રહ્યા છે. આ તારણો ઇમેરિટસના ‘ઇન્ડિયા જેન ઝી આઉટલુક ૨૦૨૬’ રિપોર્ટમાંથી આવ્યા છે, જેમાં ભારતના અગ્રણી મેટ્રો શહેરોમાં ૧૫ થી ૨૮ વર્ષની વયના ઉત્તરદાતાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ કોલેજ પહેલાના, સંક્રમણ તબક્કાના અને કારકિર્દીના પ્રારંભિક તબક્કાના યુવાનોને આવરી લે છે.
વિદેશમાં અભ્યાસ કરવાનું આકર્ષણ ઘટી રહ્યું છે, જેમાં વિદેશી શિક્ષણમાં રસ ધરાવતા ૪૮ ટકા ઉત્તરદાતાઓએ છેલ્લા એક વર્ષમાં રસ ઘટ્યો હોવાનું જણાવ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સના આકર્ષણમાં સૌથી તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. હજુ પણ વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે પરંતુ ચિંતિત છે, તેમાંથી ૪૦ ટકા લોકોએ મુખ્ય અડચણ તરીકે ખર્ચનો ઉલ્લેખ કર્યો છે, ૩૨ ટકા લોકોએ વિઝા અને ઇમિગ્રેશન નીતિઓ દર્શાવી છે, અને ૩૧ ટકા લોકો પરિવારથી દૂર રહેવા અંગે ચિંતિત હતા. જેમના રસમાં પહેલેથી જ ઘટાડો થયો છે, તેમાંથી ૩૭ ટકા લોકોએ વધતા ખર્ચને, ૨૬ ટકા લોકોએ વિઝા અને ઇમિગ્રેશન મુદ્દાઓને અને ૨૪ ટકા લોકોએ વિદેશમાં સુરક્ષા અને રાજકીય અસ્થિરતાને જવાબદાર ગણાવી હતી.
ભારત-આધારિત આંતરરાષ્ટ્રીય શિક્ષણ એક વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે. આશરે ૮૭ ટકાપ્રી-કોલેજ ઉત્તરદાતાઓ અને ૯૨ ટકા ટ્રાન્સિશનિંગ ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે તેઓ ભારતમાં આંતરરાષ્ટ્રીય રેન્કિંગ ધરાવતી યુનિવર્સિટીઓ દ્વારા ઓફર કરવામાં આવતા પ્રોગ્રામ્સમાં અભ્યાસ કરવાની શક્યતા ધરાવે છે. ટ્રાન્સિશનિંગ વિદ્યાર્થીઓમાંથી ૬૯ ટકા લોકોએ વિઝાની અસ્થિરતાથી બચવા માટે વિદેશ જવા કરતાં આવા પ્રોગ્રામ્સને વધુ પસંદ કર્યા છે.
ઓન-કેમ્પસ શિક્ષણ પસંદગીમાં રહેતું હોવા છતાં, વિદેશી યુનિવર્સિટીઓ સાથે આંશિક રીતે જોડાયેલા કે સેમેસ્ટર એક્સચેન્જ સાથે ભારત-આધારિત અભ્યાસને સાંકળતા પ્રોગ્રામ્સ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. આ માર્ગ માટેની પસંદગી પ્રી-કોલેજ ઉત્તરદાતાઓમાં ૨૭ ટકાથી વધીને ટ્રાન્સિશનિંગ વિદ્યાર્થીઓમાં ૩૯ ટકા થઈ છે. ઇમેરિટસના સહ-સ્થાપક અને સીઈઓ અશ્વિન દામેરાએ જણાવ્યું હતું કે, “બહાર જવાનો એક અનુમાનિત માર્ગ બનાવવામાં ૩૦ વર્ષ લાગ્યા હતા. પરંતુ તેનો રિવર્સલ (પાછા ફરવાનો ટ્રેન્ડ) ઘણી ઝડપથી થઈ રહ્યો છે.” 
આ રિપોર્ટ યુવાન ભારતીયોના કૌશલ્ય અને કારકિર્દી પ્રત્યેના અભિગમમાં આવેલા ફેરફારો પર પણ પ્રકાશ પાડે છે. લગભગ ૮૨ ટકા લોકો નવી સ્કિલ શીખવા કે વિકસાવવા માટે અઠવાડિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા જનરલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સાધનોનો ઉપયોગ કરે છે, અને કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં રહેલા ૬૫ ટકા લોકો માને છે કે જોબ માર્કેટમાં સફળતા માટે માત્ર એક ડિગ્રી પૂરતી નથી. પરંપરાગત કારકિર્દીના માપદંડો કરતાં વર્ક-લાઇફ બેલેન્સ મહત્વ મેળવી રહ્યું છે, જેમાં ૭૪ ટકા લોકો તેને ઔપચારિક લીડરશીપ ટાઇટલ કરતાં વધુ પ્રાથમિકતા આપે છે. આ ઉપરાંત, ૬૫ ટકા લોકોને લાગે છે કે સફળ કારકિર્દી માટે એક્ઝિક્યુટિવ લીડર બનવું જરૂરી નથી. જોકે, ૭૫ ટકા લોકો માને છે કે સ્પર્ધાત્મક રહેવા માટે યોગ્ય કૌશલ્યો મેળવવું જરૂરી છે, તેમ છતાં ૬૦ ટકા લોકો સતત અપસ્કિલિંગ કરવાના દબાણથી બર્નઆઉટ (માનસિક થાક) અનુભવે છે.

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Most Popular