• 10 August, 2026 - 10:19 AM

‘ગુજરાત ક્ષેત્ર-વિશિષ્ટ નીતિઓ દ્વારા તેનો આર્થિક વિકાસ વધારી રહ્યું છે’

‘ગુજરાત ક્ષેત્ર-વિશિષ્ટ નીતિઓ દ્વારા તેનો આર્થિક વિકાસ વધારી રહ્યું છે’

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૦૩૦ સુધીમાં રાજ્યને $૧ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવા, જીસીસી (GCCs) ને આકર્ષવા, પુનઃપ્રાપ્ય ઉર્જાનો વિસ્તાર કરવા અને રાજ્ય સંચાલિત સાહસોમાં સુધારા કરવાની યોજનાઓની રૂપરેખા આપી છે.

ભૂપેન્દ્ર પટેલ આવતા મહિને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ પૂર્ણ કરશે. બિઝનેસ સ્ટાન્ડર્ડને આપેલા ઈમેલ ઈન્ટરવ્યુમાં ૨૦૩૦ સુધીમાં ગુજરાતને $૧ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે રાજ્ય સરકારના પ્રયાસો, ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદ અને અન્ય શહેરોમાં કરવામાં આવી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, અને રાજ્યના જાહેર ક્ષેત્રના સાહસો માટેની વિનિવેશ-ડિસઇન્વેસ્ટમેન્ટ્સની યોજનાઓ વિશે જણાવે છે. ઈન્ટરવ્યુના સંપાદિત અંશ:

પ્રશ્ન: ગુજરાતે ૨૦૩૦ સુધીમાં $૧ ટ્રિલિયનનું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય રાખ્યું છે. આ મહત્વાકાંક્ષી લક્ષ્યાંક હાંસલ કરવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે?

જવાબ: વર્ષ ૨૦૨૪-૨૫ (FY25) માં રૂ. ૨૭.૦૩ ટ્રિલિયન ($૩૧૮ બિલિયન)ના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) સાથે ગુજરાત ભારતના જીડીપીમાં ૮.૨ ટકા હિસ્સો ધરાવે છે. મજબૂત ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણકાર-સાંકળ નીતિઓ અને સ્થિર તથા પારદર્શક શાસન સાથે ગુજરાત ૨૦૩૦ સુધીમાં $૧ ટ્રિલિયનનું અર્થતંત્ર બનવા માટે તૈયાર છે.

આ હાંસલ કરવા માટે, ગુજરાતે “ઇકોનોમિક માસ્ટર પ્લાન્સ” વિકસાવવાથી લઈને મોટા પાયે અને ભવિષ્ય માટે તૈયાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા ક્ષેત્ર-વિશિષ્ટ નીતિઓ ઘડવા સુધીના સક્રિય પગલાં લીધાં છે. રીજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાનમાં સ્થપાયેલો રાજ્યનો લાંબા ગાળાનો રોડમેપ વિવિધ પ્રોજેક્ટ્સમાં આયોજિત જાહેર-ખાનગી રોકાણ સાથે ૨૦૪૭ સુધીમાં વૃદ્ધિનું લક્ષ્ય રાખે છે. વ્યૂહરચના અમલીકરણ GRIT (ગુજરાત સ્ટેટ ઈન્સ્ટિટ્યુશન ઓફ ટ્રાન્સફોર્મેશન) દ્વારા સંચાલિત થઈ રહ્યું છે, જે ડેટા આધારિત પ્રાદેશિક નીતિ માટે ગયા વર્ષના જુલાઈમાં સ્થાપિત નીતિ આયોગના મોડેલ પરનું સ્ટેટ થિંક ટેન્ક છે.

છ ઇકોનોમિક માસ્ટર પ્લાન એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત (સુરત), સૌરાષ્ટ્ર, દરિયાકાંઠાનું સૌરાષ્ટ્ર અને કચ્છ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવેલા છે. દરેક ઇકોનોમિક માસ્ટર પ્લાન-ઈએમપી સ્થાનિક શક્તિઓને વિકાસ જરૂરિયાતો સાથે મેચ કરવા અને ગુજરાતના પછાત જિલ્લાઓમાં લક્ષિત રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નોકરીઓ લાવીને પ્રાદેશિક અસમાનતા ઘટાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

જાન્યુઆરીમાં સત્તાવાર રીતે લોન્ચ કરાયેલ ‘ગુજરાત સ્ટેટ ઈન્ટીગ્રેટેડ લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન’એ રાજ્યને ભારતનું સૌથી કાર્યક્ષમ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક લોજિસ્ટિક્સ હબમાં રૂપાંતરિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ લાંબા ગાળાનો વ્યૂહાત્મક રોડમેપ છે. ગુજરાત મુખ્ય ઉદ્યોગોને લક્ષ્ય બનાવીને ક્ષેત્ર-વિશિષ્ટ નીતિઓ દ્વારા તેના આર્થિક વિકાસને આગળ ધપાવી રહ્યું છે, જેમ કે ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ ૨૦૨૬’, ‘લોજિસ્ટિક્સ અને લોજિસ્ટિક્સ પાર્ક્સ નીતિ ૨૦૨૧’, ‘ટેક્સટાઈલ નીતિ ૨૦૨૪’, ‘ઈન્ટીગ્રેટેડ રિન્યુએબલ એનર્જી નીતિ ૨૦૨૫’, અને ‘ગ્રીન હાઇડ્રોજન નીતિ ૨૦૨૫’. રાજ્ય વિશેષ રોકાણ પ્રદેશો-સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજ્યન-એસઆઈઆરના માધ્યમથી અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવી રહ્યું છે.

પ્રશ્ન: ગિફ્ટ સિટી (GIFT City) ખાતે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs) અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ યુનિટ્સને આકર્ષવા માટે તમારી સરકારની શું યોજનાઓ, નીતિઓ અને સંભવિત પ્રોત્સાહનો છે?

જવાબ: મે સુધીમાં, ગિફ્ટ સિટી ૧,૯૨૪ થી વધુ રજિસ્ટર્ડ સંસ્થાઓ સાથે અગ્રણી વૈશ્વિક હબ તરીકે ઉભરી આવ્યું છે, જેમાં HSBC, ગૂગલ અને જેપી મોર્ગન જેવી વૈશ્વિક ફર્મોનો સમાવેશ થાય છે, અને ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ (GFCI) પર ૪૩મો ક્રમ ધરાવે છે. ‘ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC) નીતિ ૨૦૨૫-૩૦’ નો ઉદ્દેશ ફાઇનાન્શિયલ સર્વિસીસ, ફિનટેક અને ગ્લોબલ ઇન-હાઉસ સેન્ટર્સ પર ફોકસ સાથે ૨૫૦ GCCs, રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધુનું રોકાણ અને ૫૦,૦૦૦ નોકરીઓ આકર્ષવાનો છે. આ નીતિ મૂડી ખર્ચ પર સબસિડી, ઓપરેટિંગ ખર્ચ પર સપોર્ટ, પગાર રિઇમ્બર્સમેન્ટ, વ્યાજ સબવેન્શન, એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ પર સહાય અને વીજળી ડ્યુટીમાંથી મુક્તિ આપે છે.

પ્રશ્ન: પુનઃપ્રાપ્ય ઉર્જા (રિન્યુએબલ એનર્જી) માટે રાજ્ય સરકારની શું યોજનાઓ છે?

જવાબ: જૂનમાં, ગુજરાતની રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઉર્જાની) ક્ષમતા ૫૧.૫ ગીગાવોટ હતી, અને તેણે તેની સ્થાપિત ક્ષમતાના ૬૩ ટકાથી વધુ પુનઃપ્રાપ્ય સ્ત્રોતોમાંથી પૂરી કરવાનું અને દેશની રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતામાં ૧૬ ટકાથી વધુ હિસ્સો ધરાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ‘ઈન્ટીગ્રેટેડ રિન્યુએબલ એનર્જી નીતિ ૨૦૨૫’ હેઠળ, ગુજરાત તેની રિન્યુએબલ એનર્જીની ક્ષમતા ૨૦૩૫ સુધીમાં ૧૫૦ ગીગાવૉટથી વધુ અને ૨૦૪૭ સુધીમાં મહત્વાકાંક્ષી ૩૦૦ ગિગાવૉટ સુધી વધારવાનું લક્ષ્ય રાખે છે.

ગુજરાતની ‘ગ્રીન હાઇડ્રોજન નીતિ ૨૦૨૫’ ૨૦૩૦ સુધીમાં વાર્ષિક ૫ મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખે છે. આ સિવાય, ગુજરાતે ગ્રીન-હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ માટે ખાસ કરીને ૧,૯૯,૦૦૦ હેક્ટર જમીન ફાળવી છે. ગ્રીડની સ્થિરતા સુનિશ્ચિત કરવા અને રિન્યુએબલના મોટા પાયે સંકલનને ટેકો આપવા માટે, રાજ્યએ ‘પમ્પડ સ્ટોરેજ પ્રોજેક્ટ નીતિ ૨૦૨૫’ પણ રજૂ કરી છે, જે રૂ. ૭૫,૦૦૦ કરોડના અંદાજિત રોકાણ સાથે ૨૦૩૫ સુધીમાં ૭૫ પમ્પડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સનું લક્ષ્ય રાખે છે.

પ્રશ્ન: ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ સુધારવા માટે આગામી પેઢીના સુધારા કયા છે?

જવાબ: આજ સુધીમાં, રાજ્યએ વ્યાપાર-કેન્દ્રી અને નાગરિક-કેન્દ્રી પ્રક્રિયાઓ બંનેને આવરી લેતા ૩,૨૨૬ કમ્પ્લાયન્સને સરળ બનાવ્યા છે. રાજ્યના કાયદાઓ અને નિયમોની વ્યાપક સમીક્ષા પછી, ૭૩૧ થી વધુ જોગવાઈઓને ગુનાહિત મુક્ત (decriminalised) કરવામાં આવી છે. ગુજરાતની ‘ઈ-સરકાર’ પહેલ સરકારી સેવાઓ, મંજૂરીઓ અને કમ્પ્લાયન્સ પ્રક્રિયાઓના એન્ડ-ટુ-એન્ડ ડિજિટાઇઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રથમ વખત, રાજ્ય સરકારે “ચૂઝ યોર ઈન્સેન્ટિવ” ફ્રેમવર્ક રજૂ કર્યું છે, જે લવચીક, પારદર્શક અને ઝડપી છે, અને ઉદ્યોગોને તેમની વ્યવસાયિક મંજૂરી અનુસાર કેપિટલ સબસિડી, ઈન્ટરેસ્ટ સબસિડી અથવા પાવર ટેરિફ રિઇમ્બર્સમેન્ટનું કસ્ટમાઇઝ્ડ કોમ્બિનેશન પસંદ કરવાની મંજૂરી આપે છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કેન્દ્રીય એમએસએમઈ-MSME મંત્રાલયની નવીનતમ વ્યાખ્યા અનુસાર વ્યાખ્યાયિત કરવામાં આવશે અને તેમના રોકાણના ૪૫ ટકા સુધી પ્રોત્સાહનો મળશે.

પ્રશ્ન: ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સ માટે સરકારની શું યોજનાઓ છે?

જવાબ: અમદાવાદ ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સ માટે અધિકૃત રીતે યજમાન શહેર તરીકે કન્ફર્મ થયું છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને એકતા નગરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં સાત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, જ્યારે દાહોદ અને દ્વારકા ખાતે નવા એરપોર્ટની જાહેરાત કરવામાં આવી છે. વધતા વૈશ્વિક ટ્રાફિકને પહોંચી વળવા ૨૦૩૦ પહેલા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિસ્તરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ દ્વારા અર્બન મોબિલિટીને અપગ્રેડ કરવામાં આવી રહી છે.

મોટેરામાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવને વિશ્વ કક્ષાના સ્પોર્ટ્સ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં મલ્ટિપલ નવા સ્ટેડિયમ અને અસ્થાયી સ્થળોનો ઉમેરો શામેલ છે.

પ્રશ્ન: નુકસાન કરતી રાજ્ય પીએસયુ-ગુજરાતની જાહેર ક્ષેત્રની કંપનીઓમાં વિનિવેશ (disinvestment) માટે કોઈ યોજના છે?

જવાબ: PSU ના તર્કસંગતીકરણ માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેનું અમલીકરણ FY27 માં શરૂ થવાની અપેક્ષા છે. રાજ્યની વ્યૂહરચના ત્રિ-પાંખીય અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે: બિન-વ્યૂહાત્મક અને નુકસાન કરતી PSUs નું વિનિવેશ અથવા ખાનગીકરણ કરવાનું આયોજન છે. તેમાંય ઓવરલેપિંગ કાર્યો ધરાવતી સંસ્થાઓનું વિલીનીકરણ કરવા પર ફોકસકરવામાં આવશે. તેમ જ વ્યૂહાત્મક કે નાણાકીય રીતે સક્ષમ હોય તેવી સંસ્થાઓને જાળવી રાખવામાં આવશે. આમ તો ૨૦૨૪ માં ૧૬મા નાણા પંચ માટે તૈયાર કરાયેલા એક અભ્યાસમાં નોંધવામાં આવ્યું હતું કે ગુજરાત તેના નાણાકીય સૂચકો અને જાહેર ક્ષેત્રની ગુજરાત સરકારની કંપનીઓની કામગીરીના આધારે વિનિવેશ વ્યૂહરચના અપનાવવા સારી સ્થિતિમાં છે.

(સૌજન્યઃ બિઝનેસ સ્ટાન્ડર્ડ)

Read Previous

ઉચ્ચ આર્થિક વિકાસ માટે સુધારાઓ: ભારતે આંતરરાષ્ટ્રીય વેપારનો લાભ ઉઠાવવો જ પડશે

Read Next

H-1B વિઝાધારક ભારતીય પ્રોફેશનલ્સ નોકરી ગુમાવવાના કિસ્સામાં શું કરી શકે છે?

Most Popular