• 17 September, 2026 - 3:24 PM

નોકરી અપાવવાનું કામ કરતી સ્ટાફિંગ પર કંપનીઓ પાસે લેવાતા GST ઘટાડવાની તાતી જરૂર

નોકરી અપાવવાનું કામ કરતી સ્ટાફિંગ પર કંપનીઓ પાસે લેવાતા GST ઘટાડવાની તાતી જરૂર
સરકારે ઓપચારિક રોજગાર પર પ્રીમિયમ દરે જીએસટી લાદવામાં આવ્યો હોવાથી  કામદારો ફરીથી અનૌપચારિક અને ગિગ  વ્યવસ્થા તરફ ધકેલાશે
છેલ્લા નાણાકીય વર્ષમાં આ ક્ષેત્રે અંદાજે રૂ. 1.47 લાખ કરોડ વેતન પેટે અને રૂ. 52,800 કરોડ સામાજિક સુરક્ષા અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પેટે ચૂકવ્યા હતા.
અમદાવાદઃ ભારતે વિશ્વના ત્રણ સૌથી મોટા ઓપચારિક ફ્લેક્સી-સ્ટાફિંગ (સાહસિક કામચલાઉ રોજગાર) ઉદ્યોગોમાંનો એક ઉદ્યોગ ઊભો કર્યો છે. હવે માત્ર તેના પર લાદવામાં આવેલા જીએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને કારણે જ આ સેક્ટર ઘણું મોટું બનતા અટકી રહ્યું છે. ત્રીજી,  સપ્ટેમ્બર, 2025 ના રોજ મળેલી 56મી GST કાઉન્સિલે 2017 પછીનો સૌથી વ્યાપક કર સુધારાત્મક નિર્ણય આપ્યો છે. GST 2.0 એ જૂના મલ્ટિ-સ્લેબ માળખાને બે મુખ્ય દરો—5 ટકા અને 18 ટકામાંના સ્લેબમાં લાવી દીધું છે. તેમ જ 200 થી વધુ વસ્તુઓને નીચલી કેટેગરીમાં મૂકી, જેમાં અગાઉના 12 ટકાના સ્લેબમાં આવતી 99 ટકા વસ્તુઓ 22 સપ્ટેમ્બરથી 5 ટકામાં શિફ્ટ કરી દેવામાં આવી છે. આમ આવશ્યક વસ્તુઓ પર હળવો ટેક્સ લાદવો, વપરાશ વધારવો અને ઓપચારિક અર્થતંત્રને વ્યાપક બનાવવાના ધ્યેય સાથે આ પગલું લેવામાં આવ્યું હતું.  જોકે, દેશના અર્થતંત્ર માટે સૌથી મહત્વના ગણાતા સેક્ટરમાંના એક સેક્ટર રોજગાર સેવાઓને 18 ટકાના દરમાં જ રાખી મૂકીને સરકારે તેમની કઠણાઈ વધારી દીધી છે. 
સમગ્ર ઇન્વોઇસ પર ચાર્જ
અહીં વિસંગતતા છે. 5 ટકાના દરે કરપાત્ર વસ્તુઓ પર કંપની હવે જે રૂ. 100 ખર્ચે છે, તેના માટે તે માત્ર રૂ. 5 નો ટેક્સ ચૂકવે છે. તે જ રૂ. 100 ઓપચારિક સ્ટાફિંગ પર ખર્ચો અને લેવી-વેરો રૂ. 18 થાય છે. આમ શ્રમ પરના બોજામાં 3.6 ગણો તફાવત હોવાનું દર્શાવે છે. શ્રમ એ એવું ઇનપુટ છે જેના વિના કોઈ વ્યવસાય ચાલી શકે નહીં. કારણ કે સ્ટાફિંગ પર જીએસટી આખા ઇન્વોઇસ પર લાદવામાં આવે છે. તેમાંથી મોટાભાગનો ભાગ કામદારનું પોતાનું વેતન હોય છે જે આગળ પાસ થાય છે.  તેથી આ બોજ એવા ક્ષેત્રો પર સૌથી વધુ પડે છે જેમને આપણે સૌથી વધુ ઓપચારિક બનાવવા માંગીએ છીએ. નાના અને મધ્યમ ઉદ્યોગો ગ્રાહકલક્ષી ઉદ્યોગો અને આરોગ્યસંભાળ તથા શિક્ષણ જેવી જીએસટી મુક્ત સેવાઓ જે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકતી નથી.
તેના પરિણામોનો અંદાજ આપતા ઇન્ડિયન સ્ટાફિંગ ફેડરેશનનો અંદાજ છે કે 18 ટકાનો આ દર દર વર્ષે વ્યાપારી તરલતામાંથી રૂ. 20,000-30,000 કરોડ ઓછા કરી દે છે. તેમ જ ચાલુ નાણાકીય વર્ષમાં અસરગ્રસ્ત ક્ષેત્રોમાં ઓપચારિક અસ્થાયી ભરતીમાં 10-15 ટકાનો ઘટાડો કરવા તરફ જઈ રહ્યો છે. તેથી કામદારોને ફરીથી અનૌપચારિક અને ગિગ વ્યવસ્થા તરફ ધકેલે છે. રોજગારીની ગિગ વ્યવસ્થઆ હેઠળ  કોઈ પ્રોવિડન્ટ ફંડ, વીમો કે વેતન સુરક્ષા હોતી નથી. વસ્તુઓને રાહત મળતી હોય ત્યારે ઓપચારિક રોજગાર પર પ્રીમિયમ ટેક્સ લાદવો એ પોતે જ પોતાની નીતિ વિરુદ્ધ કામ કરવા સમાન છે.
આ ઉદ્યોગ પહેલાથી જ શું પ્રદાન કરે છે તે જુઓ. ફક્ત અમારી સભ્ય કંપનીઓએ જ જૂન 2025 સુધીમાં 1.83 મિલિયન (18.3 લાખ) ઓપચારિક ફ્લેક્સી કામદારોને રોજગારી આપી હતી. સંગઠિત ફ્લેક્સી ક્ષેત્ર હવે લગભગ 7.2 મિલિયન (72 લાખ) લોકોને સહારો આપે છે. ભારતના કાર્યબળના લગભગ 1.3 ટકા જેટલો છે. વિશ્વના ટોચના ત્રણ ફ્લેક્સી-સ્ટાફિંગ માર્કેટમાંનું એક છે. છેલ્લા નાણાકીય વર્ષમાં આ ક્ષેત્રે અંદાજે રૂ. 1.47 લાખ કરોડ વેતન પેટે અને રૂ. 52,800 કરોડ સામાજિક સુરક્ષા અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પેટે ચૂકવ્યા હતા.
કોન્ટ્રાક્ટ રોજગાર
લોજિસ્ટિક્સ, બેંકિંગ, નાણાકીય સેવાઓ, વીમો અને ઉત્પાદન ક્ષેત્ર મિશ્રિત રીતે ઓપચારિક કોન્ટ્રાક્ટ રોજગારનો લગભગ 38 ટકા હિસ્સો ધરાવે છે, જેમાં બાર મુખ્ય ક્ષેત્રો માંગનો 80 ટકા હિસ્સો થાય છે. આ કામદારોમાંથી લગભગ ચોથા ભાગની મહિલાઓ છે, અને મોટા ભાગના યુવાન, પ્રથમ વખત પ્રવેશ કરનારાઓ છે. તેમને એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ, ઈએસઆઈ-આરોગ્ય વીમા અને બેંકમાં જમા થતા પગાર સાથે તેમની સૌથી પહેલી ઓપચારિક નોકરી મેળવી રહ્યા છે. આ બજાર દ્વારા લાવવામાં આવેલી ઓપચારિકતા છે. નોકરીઓ કે ભિક્ષા નથી.
ભારતનું ફ્લેક્સીનું વિસ્તરણ 1.3 ટકા પર છે, જે હજુ પણ અમેરિકા 1.8 ટકા અને યુરોપ 1.6 ટકા કરતાં પાછળ છે. આ અનૌપચારિક અર્થતંત્રની સામે છે. આ ઓપચારિક સામાજિક-સુરક્ષા નેટ બહાર આશરે 400 મિલિયન (40 કરોડ) લોકો છે. તેમાંથી એક નાના હિસ્સાને પણ સંગઠિત, યોગદાન આપનારા રોજગારમાં રૂપાંતરિત કરવું એ કોઈપણ વ્યાજબી ગણતરી મુજબ 20-મિલિયન (2 કરોડ) નોકરીઓની તક છે. ઇન્ડિયન સ્ટાફિંગ ફેડરેશન પ્રોજેક્ટ કરે છે કે આ માર્કેટ નાણાકીય વર્ષ 27 સુધીમાં દર વર્ષે 17 ટકાથી વધુના ચક્રવૃદ્ધિ દરે વધીને રૂ. 2.58 લાખ કરોડ સુધી પહોંચશે, અને સ્વતંત્ર વિશ્લેષણ અપેક્ષા રાખે છે કે આ ક્ષેત્ર 2030 સુધીમાં કરોડો વધારાની રોજીરોટી ઊભી કરશે. માંગ સ્પષ્ટપણે ત્યાં છે; મુખ્ય મર્યાદા નાણાકીય (કર સંબંધિત) છે, માળખાકીય નહીં.
રોજગાર સેવાઓને 5 ટકાના મેરિટ સ્લેબમાં સ્થાનાંતરિત કરવાથી દેશમાં પુનઃરોકાણ અને નવી ભરતી માટે રૂ. 50,000 કરોડ સુધીની રોકડ મુક્ત થશે. ઝડપથી ઓપચારિક બનતા આધાર પર લાગુ કરાયેલો નીચો દર ટેક્સ નેટને ઘટાડતો નથી. પરંતુ તે વધુ સુસંગત પેરોલ, વધુ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ અને ઈએસઆઈની આરોગ્ય સેવાના યોગદાન ઉપરાંત  જીએસટી રજિસ્ટર્ડ રોજગાર દ્વારા તેને વ્યાપક બનાવે છે. આ જ તર્ક સરકારે GST 2.0 હેઠળ વસ્તુઓ માટે લાગુ કર્યો હતો. રોજગાર આપવાનું સેક્ટર પણ તે જ વ્યવહાર માટે હકદાર છે.
રોજગાર એ કોઈપણ અર્થતંત્રમાં સૌથી આવશ્યક ઇનપુટ છે. તે અનુસાર જ તેના પર ટેક્સ લાદવો જોઈએ. રોજગાર સેવાઓને 5 ટકામાં ખસેડીને કામનું ઓપચારિકીકરણ કરવું, લાખો લોકોને સામાજિક સુરક્ષા આપવી અને નોકરીઓ દ્વારા તેને ટકાઉ રીતે કરવું એ જ સમયની માંગ છે.

Read Previous

આજે બજારમાં શું કરશો?

Read Next

આજે શેરબજારમાં શું કરશો?

Most Popular