પ્રોવિડન્ટ ફંડ હેઠળ આવરી લેવાની મર્યાદા રૃ.૧૫ હજારથી વધારી રૃ. ૨૫૦૦૦ કરી

પ્રોવિડન્ટ ફંડ હેઠળ આવરી લેવાની મર્યાદા રૃ.૧૫ હજારથી વધારી રૃ. ૨૫૦૦૦ કરી
ગુજરાત-ભારતના૫૧ લાખ કર્મચારીઓને નવું સામાજિક સુરક્ષા કવચ મળતા મોટો ફાયદો થશે
રૃ.૧૫,૦૦૦થી વધુ માસિક પગારે નોકરી શરૃ કરે તો તેને આપોઆપ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ હેઠળ આવરી લેવાતો ન હતા
કેન્દ્ર સરકાર દ્વારા એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન હેઠળ ફરજિયાત કવરેજ માટેની માસિક વેતન મર્યાદા રૃ. ૧૫,૦૦૦થી વધારીને રૃ. ૨૫,૦૦૦ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી દેશના ૫૧ લાખથી વધુ વધારાના કર્મચારીઓ પ્રોવિડન્ટ ફંડની ફરજિયાત સામાજિક સુરક્ષાના દાયરામાં આવી જશે. હવે પ્રોવિડન્ટ ફંડ કાપવા માટે માસિક રૃ. ૨૫,૦૦૦ની નવી વેતન મર્યાદા ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર એટલે કે આજથી લાગુ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે દેશના 51 લાખ નોકરિયાતોને એક મોટી ભેટ આપવમાં આવી છે.
પ્રોવિડન્ટ ફંડ માટે રૃ. ૧૫,૦૦૦થી રૃ. ૨૫,૦૦૦ પગાર જૂથના કર્મચારીઓને સીધો લાભ મળશે. હાલના કોઈ નવો કર્મચારી રૃ. ૧૫,૦૦૦થી વધુ માસિક પગારે નોકરી શરૃ કરતો હતો તો તે આપોઆપ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનના માળખા હેઠળ આવરી લેવાતો ન હતો અને પ્રોવિડન્ટ ફંડ, પેન્શન તેમજ વીમાના લાભોથી વંચિત રહી જતો હતો. આ સીલિંગ વધવાથી રૃ. ૧૫,૦૦૦ થી રૃ. ૨૫,૦૦૦ ના વેતન બેન્ડમાં આવતા કર્મચારીઓનો મોટો વર્ગ કાનૂની સામાજિક સુરક્ષા હેઠળ આવી જશે.
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે હવે પ્રોવિડન્ટ ફંડ કાપવા માટે માસિક રૃ.૨૫,૦૦૦ની નવી વેતન મર્યાદા અમલમાં આવશે. સપ્ટેમ્બર ૨૦૧૪ પછી ૧૨ વર્ષે પ્રોવિડન્ટ ફંડ વેજ સીલિંગમાં આ સુારો કરવામાં આવ્યો છે.
અત્યાર સુધી જો કોઈ નવો કર્મચારી રૃ.૧૫,૦૦૦થી વધુ માસિક પગારે નોકરી શરૃ કરતો હતોતો તેને આપોઆપ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ હેઠળ આવરી લેવાતો ન હતો, તેને પ્રોવિડન્ટ ફંડ, પેન્શન તેમજ વીમાના લાભોથી વંચિત રહી શકતો હતો. પરંતુ નવા સુધારાથી રૃ. ૧૫,૦૦૦ થી રૃ. ૨૫,૦૦૦ના પગાર બેન્ડમાં આવતા લાખો કર્મચારીઓ કાનૂની સામાજિક સુરક્ષા હેઠળ આવશે.સામાજિક સુરક્ષા માટેની ત્રણ મુખ્ય યોજનાઓ હેઠળ પગારની મર્યાદા વધવાથી કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ બચતનો, એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ હેઠળ પેન્શન સુરક્ષા અને એમ્પ્લોઈઝ ડિપોઝિટ લીન્ક્ડ ઈન્સ્યોરન્સ સ્કીમ હેઠળ વીમા કવચનો વ્યાપક લાભ મળશે.
આ નિર્ણયને કારણે સરકાર પર વાષક અંદાજે રૃ. ૧૧,૩૩૯ કરોડનો નાણાકીય બોજ વધારશે. આ યોજના માટે હાલમાં વાષક બજેટરી સપોર્ટ રૃ. ૧૦,૨૫૦ કરોડ કરતાં વધુ છે. આગામી ૫ વર્ષમાં આ માટે આશરે ૫૬,૬૯૬ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ પ્રોવિડન્ટ ફંડ માટેની પગારની મર્યાદા વવાથી કર્મચારીઓને એમ્પ્લો પ્રોવિડન્ટ ફંડ બચતનો લાભ મળશે. તેમને એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ હેઠળ પેન્શન સુરક્ષા મળશે. તેમ જ એમ્પ્લોઈઝ ડિપોઝિટ લીન્ક્ડ ઈન્સ્યોરન્સ સ્કીમ હેઠળ વીમા કવચ મળશે.
આ નિર્ણયથી કાયદાકીય ફાળો અને પેન્શન યોગ્ય વેતન માળખું પ્રવર્તમાન વેતન સ્તરોને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરી શકશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટર-એક્સ હેન્ડલ પર જણાવ્યા હતુ કે આ સુધારાથી કર્મચારીઓને વ્યાપક સામાજિક સુરક્ષા મળશે. તેની સાથે જ દેશમાં ઓપચારિક રોજગાર વધારવામાં ઝડપ આવશે.
છેલ્લે સપ્ટેમ્બર ૨૦૧૪ માં વેજ સીલિંગ વધારીને રૃ. ૧૫,૦૦૦ કરવામાં આવી હતી. ત્યાર પછીના વર્ષોમાં સતત વધતા વેતન દર, વધતી આવક અને ઘણા રાજ્યોમાં લઘુતમ વેતન દર હાલની મર્યાદાની નજીક પહોંચી જતાં આ વધારો કરવો જરૃરી બન્યો હતો.
