સહકારી બેન્કના ડિફોલ્ટર પાસે લોન રિકવરી કરવા જનારા એજન્ટ્સ ગાળાગાળી નહિ કરી શકે

અમદાવાદ, શનિવારઃ લોનની રિકવરી કરવામાં શહેરી સહકારી બેન્ક અને ગ્રામીણ સહકારી બેન્કના રિકવરી એજન્ટ્સ લોન લેનારાઓ પર અત્યાચાર ન કરી બેસે તે માટે રિઝર્વ બેન્કે લોનની રિકવરી માટેના નિયમોને વધુ ચુસ્ત બનાવ્યા છે. રિઝર્વ બેન્કે નકી કરેલા નવા નિયમ મુજબ રિકરવી એજન્ટ્સ લોન લેનારાઓ પાસે વસૂલાત કરવા જાય તો તેમની સાથે બિભત્સ ભાષામાં વાત કરી શકશે નહિ. તેમને ગાળો આપી શકશે નહિ. તેમ જ તેમને ડરાવી શકશે નહિ. લોન લેનારને જાહરેમાં હાંસી પાત્ર બનાવવાનું કોઈપણ કૃત્ય રિકવરી એજન્ટ્સ કરશે જ નહિ.
આ જ રીતે લોન ન ભરી શકનારાઓ અંગે સોશિયલ મિડીયા પર કેટલી વિગતો અપલોડ કરીને કે તેમના વિડીયો અપલોડ કરીને તેમનો ઉપહાસ કરવાની ચેષ્ઠા કરી શકશે નહિ. તેમ જ તેમને હાનિં પહોંચે તેવા મેસેજ પણ અપલોડ કરી શકશે નહિ. રિકવરી એજન્ટ્સ લોન લઈને ન ચૂકવી શકનારાના ઘરે પણ સવારે આઠ વાગ્યાથી સાંજે સાત વાગ્યાના ગાળામાં જ જઈ શકશે. મોડી રાત્રે કે સવારના આઠ વાગ્યા પહેલા તેમના ઘરે નાણાંની રિકવરી માટે પણ જઈ શકશે નહિ. તેમને આ સિવાયના સમયગાળામાં લોન લઈને ન ચૂકવનારના ઘરે જવું હોય તે માટે લોન લેનાર પાસે સ્પષ્ટ શબ્દોમાં પરવાનગી માગવી જરૂરી છે.
લોનની રિકવરી માટે લોન લેનારને બેન્કના રિવકરી અધિકારીઓ વારંવાર ફોન પણ કરી શકશે નહિ. તેમ જ વાંરંવાર મેસેજ પણ મોકલી શકશે નહિ. તેમની સાથે સંદેશાની આપલે કરવા માટે નિર્ધારિત કરેલા સમયગાળામાં જ તેમણે તેની સાથે સંદેશ વિનિમય કરવાનો રહેશે. લોન લઈને ન ચૂકવી શકનારા વ્યક્તિ પાસેથી રિકવરી કરવા માટે બેન્કે કઈ રિકવરી એજન્સીને કામગીરી સોંપી છે તેની જાણ પણ સહકારી બેન્કોએ ડિફોલ્ટરને કરવાની રહેશે. રિકવરી કરનારી એજન્સીનું સરનામું પણ આપવાનું રહેશે. બેન્કની વેબસાઈટ પર રિકવરી એજન્સીનું નામ પણ અપલોડ કરવાનું રહેશે.તેમ જ ડિફોલ્ટર પાસેથી રિકરવી કરવામમાટે કી મોબાીલ એપનો ઉપયોગ કરવામાં આવશે અને તેની બ્રાન્ચના મકાનનું સરનામું પણ મકૂવું પડશે.
રિકવરીનું કામ કરનાર એજન્સીએ તેમના એજન્ટ્સના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ એન્ડ ફાઈાન્સ સાથે સંકળાયેલી સંસ્થાઓમાં તાલીમ અપાવેલી હોવી જોઈએ. તેમ જ તેમણે રિકવરી એજન્ટ્સ તરીકે તાલીમ લીધી હોવાનું પ્રમાણપત્ર પણ મેળવેલું હોવું જરૂરી છે. લોન લેનાર વ્યક્તિ 60 દિવસ સુધી હપ્તા ન ચૂકવે તે પછી તેની લોનને ડિફોલ્ટરની કેટેગરીમાં મૂકવાનું આયોજન કરીને 90 દિવસ પૂરા થયા પછી તેને ડિફોલ્ટર ગણાવી શકાશે.કોઈ લોન લેનારને ખોટી રીતે ડિફોલ્ટર જાહેર કરવામાં આવે અને તેના નાણાંકીય વહેવારો બ્લોક કરી દેવામાં આવે તો તેવા સંજોગોમાં તે વ્યક્તિને કલાકદીટ રૂ. 250નું વળતર સહકારી બેન્કોએ આપવું પડશે.
આ માટેનો એક મુસદ્દો રિઝર્વ બેન્કે બહાર પાડીને 31મી મે સુધીમાં લોકોના અભિપ્રાયો અને મંતવ્યો મંગાવ્યા છે. આ મંતવ્યો મળી ગયા પછી પરિપત્રને આખરી ઓપ આપીને જાહેર કરી દેવામાં આવશે.


