• 20 August, 2026 - 4:21 PM

નવા લાઇસન્સિંગ નિયમો વચ્ચે વેપારીઓએ માર્ગ શોધી કાઢતાં ભારતમાં ચાંદીની આયાતે ગતિ પકડી

નવા લાઇસન્સિંગ નિયમો વચ્ચે વેપારીઓએ માર્ગ શોધી કાઢતાં ભારતમાં ચાંદીની આયાતે ગતિ પકડી

ઘણા વેપારીઓ અને બેંકોએ તાજેતરમાં લાયસન્સ મેળવ્યા છે જેનાથી તેઓ દેશમાં વધુ ચાંદી લાવી શકશે, જોકે આમાં આયાતની કેટલીક અસામાન્ય શરતો અને જરૂરિયાતોનો સમાવેશ થાય છે છે.

જે દેશો ઝડપથી યોગ્ય દસ્તાવેજો પૂરા પાડવા માટે સક્ષમ છે, વેપારીઓ હવે તેમની પાસેથી ખરીદી કરવા તરફ વધુ વલણ ધરાવે છે 

વહીવટી અવરોધો હોવા છતાં ભારતમાં ચાંદીની આયાત ગતિ પકડી રહી છે, કારણ કે નવી લાયસન્સિંગ પદ્ધતિએ આયાતને ખોરવી નાખ્યા પછી વેપારીઓ આકર્ષક પ્રીમિયમનો લાભ લેવા માંગે છે. આ બાબતથી પરિચિત લોકોના જણાવ્યા અનુસાર, કેટલાક વેપારીઓ અને બેંકોએ તાજેતરમાં એવા લાયસન્સ સુરક્ષિત કર્યા છે જે તેમને દેશમાં વધુ ચાંદી લાવવાની મંજૂરી આપે છે. જોકે તેમણે આયાત માટેની કેટલીક અસામાન્ય જરૂરિયાતો પૂરી કરવાની આવશે.

લાયસન્સ મેળવ્યા પછી, છ મહિના સુધી કોઈ આયાત ના થયા બાદ, વેપારીઓએ ગુજરાતના ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી સ્થિત ‘ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ’ દ્વારા ઓગસ્ટ મહિનામાં આશરે ૮૯.૮૧ ટન ચાંદી લાવવવામાં આવી છે. ભારત ચાંદીના વિશ્વના સૌથી મોટા ઉપભોક્તાઓમાંનું એક છે, અને તે લગભગ સંપૂર્ણપણે વિદેશી પુરવઠા પર નિર્ભર છે. આ કિંમતી ધાતુ માટે સ્થાનિક ઊંચી કિંમતો વેપારીઓને દેશમાં ચાંદી વેચવા માટે પ્રોત્સાહન આપે છે.

 બજારના નિષ્ણાતોનું કહેવું છે કે જુલાઈની સરખામણીમાં ચાંદીની ઉપલબ્ધતામાં ચોક્કસપણે સુધારો થયો છે કારણ કે લગભગ ૪૦૦ ટનના લાયસન્સ મંજૂર કરવામાં આવ્યા છે. ભારતમાં ચાંદીના પુરવઠામાં વધારાને કારણે વૈશ્વિક કિંમતો સામે સ્થાનિક કિંમતોનું પ્રીમિયમ ઓછું થયું છે, જોકે શુક્રવાર સુધી ૩૦ દિવસની સરેરાશ આશરે $૪ પ્રતિ ઔંસની આસપાસ રહી છે.

દક્ષિણ એશિયાઈ દેશ (ભારતે) ફોરેન-એક્સચેન્જ રિઝર્વ (વિદેશી હૂંડિયામણ) બચાવવા માટે મે મહિનામાં ચાંદીની આયાત માટે લાયસન્સિંગ જરૂરિયાતો લાદી હતી, જેના કારણે શિપમેન્ટ ઘટીને દેશની માંગના માત્ર એક નાના ભાગ જેટલું જ રહી ગયું હતું. અત્યારે પણ, શિપમેન્ટ સંપૂર્ણ રીતે શરૂ થયું નથી કારણ કે કેટલાક બજાર સહભાગીઓ સમયસર લાયસન્સ સાથે જોડાયેલા કાગળો-દસ્તાવેજો મેળવવા માટે સક્ષમ નથી.

નવા પગલાંના ભાગરૂપે, દરેક શિપમેન્ટ તેના ઉત્પાદન દેશ સાબિત કરતું પ્રમાણપત્ર સાથે આવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ધાતુનું મૂળ સામાન્ય રીતે શિપિંગ દસ્તાવેજોના ભાગરૂપે ઉલ્લેખિત હોય છે, પરંતુ સરકારી સંસ્થા દ્વારા જારી કરાયેલ વિધિવત પ્રમાણપત્ર એ નવી જરૂરિયાત છે. જ્યાં સુધી તમે મુક્ત વ્યાપાર કરાર હેઠળ આયાત કરતા ન હોવ ત્યાં સુધી આ સામાન્ય પ્રથા નથી. આ જરૂરિયાતો વિલંબનું કારણ બની રહી છે કારણ કે “ઘણા વેપારીઓ દસ્તાવેજોના કારણે કસ્ટમ્સમાંથી ધાતુ છૂટી કરાવવા માટે હજુ પણ સક્ષમ નથી.

વેપારીઓ હવે એવા દેશોમાંથી ખરીદી કરવા માટે વધુ વલણ ધરાવે છે જે યોગ્ય દસ્તાવેજો ઝડપથી પૂરા પાડવા માટે સક્ષમ છે. તહેવારોની મોસમમાં ડિમાન્ડ વધથી હોવાથી ઝવેરીઓ સ્ટોક ફરીથી ભરવાનું શરૂ કરી શકે છે. તેથી તેની ડિમાન્ડ વધવા માંડે છે. છતાં, મંજૂરીઓ આવ્યા પછી પણ, “શિપિંગ, કસ્ટમ્સ ક્લિયરન્સ અને રિફાઇનિંગ લોજિસ્ટિક્સ વધુ અઠવાડિયા ઉમેરે છે. તેનો અર્થ એ કે બજાર વાસ્તવિક રીતે સુધરેલા પુરવઠાના પ્રવાહ કરતાં હાલના ઇન્વેન્ટરી અને ધીમે ધીમે આવતા પુરવઠા પર ચાલી રહ્યું છે.

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Read Next

પોર્ટફોલિયો ફેરબદલ: જુલાઈમાં ટોચના ૩ મ્યુચ્યુઅલ ફંડ હાઉસોએ શું ખરીદ્યું અને શું વેચ્યું

Most Popular