• 19 April, 2026 - 3:04 PM

હોર્મુઝ જળમાર્ગ સંપૂર્ણ બંધ કર્યો, પસાર થનાર કોઈ પણ જહાજને ફૂંકી મારવાની ચિમકી આપી

પશ્ચિમ એશિયા સંકટનો સામનો કરવા ભારતે તૈયાર રહેવું પડશે:  રાજનાથ સિંહ

ભારત પાસે કાચા તેલ, પેટ્રોલ, ડીઝલ અને એવિયેશન ટર્બાઈન ફ્યુઅલ 60 દિવસથી વધુનો જથ્થો મોજૂદ છે.

ભારત પાસે એલએનજીનો આગામી 50 દિવસ સુધી ચાલે તેટલો જથ્થો છે.

ભારત પાસે રાંધણગેસનો અંદાજે 40 દિવસનો જથ્થો છે.

સરકારે હોર્મુઝ જળમાર્ગ પરની નિર્ભરતા ઘટાડવા માટે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને લેટિન અમેરિકા જેવા વિસ્તારોમાંથી આયાતના સ્ત્રોતો વધાર્યા છે.

અમદાવાદઃ ઈરાને શનિવારે મોડી રાત્રે હોર્મુઝ જળમાર્ગને સંપૂર્ણપણ બંધ કરી દેવાની જાહેરાત કરી દીધી છે. શનિવારે મોડી રાત્રે ઈરાનના રાજ્ય મીડિયા દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં નૌકાદળે ચેતવણી આપી કે કોઈ પણ નિયમનો ભંગ કરનાર જહાજને નિશાન બનાવવામાં આવશે.

દુબઈથી મળતી માહિતી મુજબ શનિવારે ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના નૌકાદળે જણાવ્યું હતુ કે તે પહેલાથી જ જહાજોને સલામત પસાર થવા માટે નિર્ધારિત કરાયેલા માર્ગને પણ હવે બંધ કરી દીધો છે અને અમેરિકા દ્વારા ઈરાનના બંદરો અને જહાજો પર લગાવાયેલ રોક હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આ મહત્વપૂર્ણ જળમાર્ગ સંપૂર્ણ બંધ રહેશે.

શુક્રવારે ઈરાને જણાવ્યું હતું કે જહાજો તેની સાથે સંકલન કરીને અને ટોલ ચૂકવીને જળમાર્ગમાંથી પસાર થઈ શકે છે. પરંતુ શનિવારે મોડી રાત્રે જાહેર કરાયેલા નિવેદનમાં નૌકાદળે ચેતવણી આપી કે નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ જહાજને નિશાન બનાવવામાં આવશે. ઈરાન અમેરિકા દ્વારા લગાવવામાં આવેલ રોકને બંને દેશો વચ્ચે થયેલા યુદ્ધવિરામના  ઉલ્લંઘન તરીકે ઓળખાવવામાં આવ્યું છે. શનિવારે પહેલા હોર્મુઝ જળમાર્ગમાં અને ઓમાનના કિનારે બે જહાજો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંથી ઓછામાં ઓછું એક ઈરાનના ગનબોટ દ્વારા કરવામાં આવ્યું હતું.

બીજીતરફ ભારતના સંપક્ષણ પ્રધાન રાજનાથ સિંહએ જણાવ્યું હું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી પરિસ્થિતિ અનિશ્ચિતતા ભરેલી, અસ્થિર અને સંવેદનશીલ છે અને ભારતે કોઈ પણ અચાનક વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું જરૂરી છે. તેમણે શનિવારે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર નજર રાખવા માટે બનાવવામાં આવેલા મંત્રીઓના અનૌપચારિક સમૂહની ઉચ્ચ સ્તરની બેઠકમાં અધ્યક્ષતા કરતા આ વાત કહી હતી।

આ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, તેલ મંત્રી હરદીપ સિંહ પુરી, આરોગ્ય અને ખાતર મંત્રી જે.પી. નડ્ડા, ગ્રાહક મામલા મંત્રી પ્રહલાદ જોશી, નાગરિક ઉડ્ડયન મંત્રી કિન્જરાપુ રામમોહન નાયડુ, શિપિંગ મંત્રી સરબાનંદ સોનોવાલ અને વીજ મંત્રી મનોહર લાલ હાજર રહ્યા હતા।

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતુ કે રાજનાથ સિંહે હાલની પરિસ્થિતિને અનિશ્ચિત અને અસ્થિર ગણાવી અને માત્ર તણાવ ઘટાડવા માટે નહીં પરંતુ ફરી તણાવ વધે તો પણ તૈયાર રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકાર આ સંકટના જોખમોને ઓછા કરવા ઝડપી અને અસરકારક પગલાં લઈ રહી છે.

સંરક્ષણ મંત્રીએ “ભારત મેરિટાઇમ ઇન્શ્યોરન્સ પૂલ માટે રૂ. 12,980 કરોડની સરકારી ગેરંટી સાથે મંજૂરી આપવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પરિણામે આંતરરાષ્ટ્રીય વેપાર માટે જહાજોને સતત અને સસ્તું વીમા કવર મળી રહેશે. આ નિર્ણયથી ભારતના આયાત-નિકાસ વેપારને સુરક્ષા અને સ્થિરતા મળશે અને વેપાર પ્રણાલી વધુ મજબૂત બનશે।

સરકારે જણાવ્યું કે વૈશ્વિક પુરવઠા પર પડેલા પ્રભાવ છતાં ભારત પાસે પૂરતો ઈંધણ સંગ્રહ છે. કાચા તેલ, પેટ્રોલ, ડીઝલ અને એવિયેશન ટર્બાઈન ફ્યુઅલ 60 દિવસથી વધુનો જથ્થો મોજૂદ છે. આ જ રીતે એલએનજીનો આગામી 50 દિવસ સુધી ચાલે તેટલો જથ્થો છે. તેમ જ રાંધણગેસનો અંદાજે 40 દિવસનો જથ્થો છે. સરકારે હોર્મુઝ જળમાર્ગ પરની નિર્ભરતા ઘટાડવા માટે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને લેટિન અમેરિકા જેવા વિસ્તારોમાંથી આયાતના સ્ત્રોતો વધાર્યા છે. એપ્રિલ અને મે 2026 માટે જરૂરી આયાત પહેલેથી જ સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી પુરવઠામાં કોઈ વિક્ષેપ આવશે નહિ.

 

Read Previous

ગ્રાહકોના હિતની અવગણના કરી ચૂકાદા આપતા કન્ઝ્યુમર ફોરમ અને રેરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular