• 27 February, 2026 - 4:47 AM

DGCAએ એર ટિકીટ 48 કલાકની મફત રદ કરવાની સુવિધા કરી

ડોમેસ્ટિક ફ્લાઇટ માટે બુકિંગની તારીખથી 7 દિવસની અંદર અથવા ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે 15 દિવસની અંદર પ્રસ્થાન હોય, તો આ 48 કલાકની સુવિધા લાગુ નહીં પડે

મુસાફરોના અધિકારો મજબૂત બનાવવા માટે DGCAએ ટિકિટ રિફંડ નિયમોમાં સુધારા કર્યા છે. 24 ફેબ્રુઆરીએ જાહેર કરાયેલા સુધારેલા Civil Aviation Requirements (CAR) અનુસાર હવે એરલાઇન્સ માટે 48 કલાકની “લુક-ઇન પિરિયડ” આપવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. આ 48 કલાક દરમિયાન મુસાફરો વધારાની કેન્સલેશન અથવા ફેરફાર ફી વગર ટિકિટ રદ કરી શકશે કે પછી અથવા સુધારી શકશે. જો મુસાફર અન્ય ફ્લાઇટ પસંદ કરે તો ભાડાંનો તફાવત લાગુ પડશે.

પરંતુ, જો ટિકિટ સીધી એરલાઇનની વેબસાઇટ પરથી બુક કરાયેલી હોય અને ડોમેસ્ટિક ફ્લાઇટ માટે બુકિંગની તારીખથી 7 દિવસની અંદર અથવા ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે 15 દિવસની અંદર પ્રસ્થાન હોય, તો આ 48 કલાકની સુવિધા લાગુ નહીં પડે.

નામ સુધારણામાં પણ રાહત આપી

DGCAએ સ્પષ્ટ કર્યું છે કે બુકિંગ બાદ 24 કલાકની અંદર નામની ભૂલ જણાય તો એરલાઇન્સ વધારાની ફી વસૂલ કરી શકશે નહીં. જો ટિકિટ સીધી વેબસાઇટ પરથી બુક કરાઈ હોય તેવા કિસ્સામાં આ સુવિધા પૂરી પાડવામાં આવશે.

રિફંડ સમયમર્યાદા

ટ્રાવેલ એજન્ટ અથવા ઑનલાઇન પોર્ટલ મારફતે બુકિંગ કરવામાં આવ્યું હોય તો પણ રિફંડ પ્રક્રિયા માટે એરલાઇન જવાબદાર રહેશે. રિફંડ 14 કાર્યદિવસમાં પૂર્ણ કરવો ફરજિયાત રહેશે.

મેડિકલ ઈમરજન્સી

મેડિકલ કારણસર મુસાફરી રદ થાય તો સંપૂર્ણ રિફંડ અથવા ક્રેડિટ શેલ આપવામાં આવશે. તાજેતરમાં IndiGo સંબંધિત ફ્લાઇટ વિક્ષેપ પછી રિફંડ વિલંબ અંગે ફરિયાદો વધતા આ પગલું લેવામાં આવ્યું છે. DGCAએ આપેલા આંકડા મુજબ ડિસેમ્બર 2025માં 29,212 ફરિયાદો મળી, જેમાં 7.5 ટકા રિફંડ સંબંધિત હતી. ભારત વિશ્વના ઝડપી વિકસતા એવિએશન બજારોમાંનું એક હોવાથી નવા નિયમો મુસાફરોના વિશ્વાસમાં વધારો કરશે અને પારદર્શિતા લાવશે

Read Previous

DGFTએ FLOW યોજના શરૂ કરી ફાર્માસ્યૂટકિલ્સના સેક્ટરની નાની કંપનીઓને માલની હેરફેર માટે સહાય કરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular