• 14 May, 2026 - 7:55 AM

કેન્દ્ર સરકારે ૧૪ ખેત ઉપજના લઘુતમ ટેકાના ભાવમાં વધારો કર્યા

કપાસના ક્વિન્ટલદીઠ રુ. ૮૨૬૭ ને સનફ્લાવરના રૃા.૮૩૪૩ના ભાવ જાહેર કર્યાઃ તલના ભાવ રૃા. ૧૦,૩૪૬

કેન્દ્ર સરકારે આજે ખરીફ મોસમમાં થનારી. તેની સાથે જ કઠોળ, તેલીબિયાં, અને કપાસના ભાવમાં પણ તગડા વધારાની જાહેરાત કરીને કપાસની આયાત પર નિર્ભર ન રહેવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ કરી છે. ખેતઉપજના ટેકાના ભાવ વધારવા પાછળનો મૂળભૂત ઉદ્દેશ ખેતઉપજમાં ખેડૂતો વિવિધતા લાવે તે પણ જોવાનો છે.

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની જોષીએ આ અંગે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ખેડૂતોને ફાયદાકારક ભાવ મળી રહે તે માટે લઘુતમ ટેકાના ભાવની જાહેરાત કરી તેમાં પાકની ઉપજ કિંમતની તુલનાએ તેમને ૧૪ જેટલી આઈટેમ્સમાં ૫૦ ટકા સુધીનો વધારો કરી આપ્યો છે. ખેડૂતોને મગમાં સૌથી વધુ ૬૧ ટકાનું માર્જિન મળશે. જ્યારે બાજરામાં ૫૬ ટકા અને તુવેરદાળમાં ૫૪ ટકાનું માર્જિન મળશેો. આ સિવાયના પાક માટે તેમની ઉત્પાદન કિંમત કરતાં ૫૦ ટકા ઊંચા ભાવ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આર્થિક બાબતોને લગતી કેબિનેટ કમિટીએ ખરીફ પાકની વાવણીની શરૃઆત થાય તે પહેલા જ કપાસના ટેકાના ભાવમાં રૃા. ૫૫૭નો વધારો કરીને ટેકાના નવા ક્વિન્ટલદીઠ ભાવ એ રૃા. ૮૨૬૭ જાહેર કર્યો છે. તેની સાથે જ સનફ્લાવરના ક્વિન્ટલદીઠ ટેકાના ભાવમાં રૃા. ૬૨૨નો વધારો કરીને રૃા. ૮૩૪૩ કર્યા છે. આ સાથ ેજ તલના ક્વિન્ટલદીઠ ભાવમાં રૃા. ૫૦૦નો વધારો કરીને ક્વિન્ટલે રૃા.૧૦,૩૪૬ કરી દીધા છે.

નાઈજર સિસડના ક્વિન્ટલદીઠ ભાવમાં રૃા. ૫૧૫નો વધારો કર્યો છે. નાઈજર સિડના ક્વિન્ટલદીઠ ભાવ રૃા. ૧૦,૦૫૨ જાહેર કર્યા છે. સોયાબિનના ક્વિન્ટલદીઠ ભાવમાં રૃા.૩૮૦નો વધારો કરીને લઘુતમ ટેકાના ભાવ રૃા. ૫૭૦૮નો જાહેર કર્યો છે. આ જ રીતે મગફળીના ટેકાના ભાવ રૃા. ૨૫૪ વધારીને રૃા. ૭૫૧૭ જાહર કર્યા છે.

કઠોળમાં તુવેરદાળના ક્વિન્ટલદીઠ ભાવમાં રૃા. ૪૫૦નો વધારો જાહેર કરીને રૃા. ૮૪૫૦ કર્યા છે. બીજીતરફ અડદના લઘુતમ ટેકાના ભાવ રૃા. ૪૦૦ વધારીને ક્વિન્ટલદીઠ રૃા. ૮૨૦૦ કર્યા છે. બીજીતરફ મગના ભાવમાં ક્વિન્ટલે નજીવો રૃા. ૧૨નો વધારો કરવામાં આવ્યા છે. મગના નવા લઘુતમ ટેકાના ભાવ રૃા. ૮૭૮૦ જાહેર કરવામાં આવ્યા છે. મકાીના ક્વિન્ટલદીઠ નવા લઘુતમ ટેકાના ભાવ રૂ. 10નો વધારો કરીને રૂ. 2410 નક્કી કરવામાં આવ્યા છે.

અનાજમાં હાઈબ્રિડ જુવારના ક્વિન્ટલરદીઠ ભાવ રૃા. ૩૨૪નો વધારો કરીને લઘુતમ ટેકાના ક્વિન્ટલદીઠ ભાવ રૃા. ૪૦૨૩ના નક્કી કરવામાં આવ્યા છે. તેમ જ જુવારની જ માલદાંડીના વરાયટીના લઘુતમ ટેકાના ભાવ રૃા. ૪૦૭૩ જાહેર કરવામાં આવ્યા છે.

બાજરાના લઘુતમ ટેકાના ભાવ રૃા. ૧૨૫નો વધારો કરીને ક્વિન્ટલદીઠ રૃા. ૨૯૦૦ કરવામાં આવ્યો છે. આ જ રીતે રાગાનો ક્વિન્ટલદીઠ લઘુતમ ટેકાનો ભાવ રૃા. ૫૨૦૫ જાહેર કરવામાં આવ્યો છે. તેમાંગ રૃા. ૩૧૯નો વધારો કરવામાં આવ્યો છે. લઘુતમ ટેકાના ભાવથી ખરીદી કરવામાં ખેડૂતોને આ વરસે રૃા. ૨.૬૦ લાખ કરોડની ચૂકવણી કરવામાં આવશે. સરકાર વરસે દહાડે ૮૨૪.૪૧ લાખ ટન અનાજની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરશે.

Read Previous

અમૂલે દૂધના લિટરદીઠ ભાવમાં રૂ. ૨નો વધારો કર્યો

Read Next

બેગેજના સ્કેનિંગમાં શંકાસ્પદ આઈટેમ દેખાઈઃ અમદાવાદ એરપોર્ટ પરથી રૃા. ૨૦ લાખની સિગારેટની સ્મગલિંગ કરતાં ત્રણ પકડાયા

Most Popular