• 26 June, 2026 - 2:02 AM

વિકાસને નામે વેપારીઓને ખતમ કરવાનો કારસો: મીઠીખળીને જોડતાં છ રસ્તાના ડેવલપમેન્ટમાં ફૂટપાથ મોટી, રસ્તા સાંકડાં

 

ટ્રાફિક વધશે ત્યારે કેવી રીતે અમ્યુકો મેનેજ કરશે તે મોટો સવાલઃ દુકાનદારોને ધંધો કરવા ન મળે તે રીતે ડેવલપમેન્ટઃ દુકાનમાં ગ્રાહકો માટે એન્ટ્રી લેવી કઠિન, કાર એસેસરીઝ ખરીદનારાઓ વાહન પણ મૂકી શકશે નહિ

કુલ ૮૦ ફૂટના રસ્તા પર ૧૨ વત્તા ૧૨ ફૂટની બંને તરફ ફૂટપાથ, ત્રણ-ત્રણ ફૂટ વૃક્ષારોપણની જગા ને આઠ-આઠ ફૂટ પાર્કિંગઃ

અંદાજે 80 ફૂટના રોડ પર 40 ફૂટથી વધુ જગ્યા ફૂટપાથ, વૃક્ષારોપણ અને પાર્કિંગ માટે રોકાશે, માત્ર 40 ફૂટના બચનારા રોડ પર અવરજવર કરવાના રસ્તા બનશે

અ્મદાવાદઃ અમદાવાદ શહેરના મીઠાખળી સર્કલને જોડતાં છ રસ્તાઓને ડેવલપમેન્ટને નામે પહોળા કરવાને બદલે સાંકડા કરવામાં આવી રહ્યા છે. કુલ ૮૦ ફૂટ પહોળા રોડ પર બે બાજું બાર વત્તા બાર ચોવીસ ફૂટની ફૂટપાથ ઉપરાંત વૃક્ષા રોપણ માટે બંને તરફ ત્રણ ત્રણ ફીટની ચેનલ બનાવવામાં આવી રહી છે. તેમ જ  બંને તરફ આઠ આઠ ફૂટનું પાર્કિંગ મળીને કુલ ૮૦ ફીટમાંથી ૪૬ ફૂટ નીકળી જતાં અંદાજે ૧૮-૧૮ ફૂટના જ ટુ વે ટ્રાફિક માટેના રસ્તા રહે છે. ૮૦ ફૂટના રસ્તા પર ૪૫ ફૂટ જેટલી જગ્યા ફૂટપાથ, ટ્રી પ્લાન્ટેશન અને કારપાર્કિંગ માટે રાખતા વાહનચાલકો માટે માત્ર ૩૬ ફૂટ જ વાહનો માટે બચે છે. તેમાં જવા અને આવવાના અલગ અલગ રોડ પાડવામાં આવી રહ્યા છે.

મીઠાખળીના આ વિસ્તારમાં ટ્રાફિક વધી રહ્યો છે. ત્યારે દૂરંદેશી વિનાના અમ્યુકોના અધિકારીઓ ડેવલપમેન્ટને નામે રસ્તાને સાંકડાં બનાવી રહ્યા છે. તદુપરાંત બંને તરફ એક એક ફૂટની જાડી દીવાલ મૂકીને રસ્તા પર બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આ દોઢેક ફૂટ ઊંચાઈની દિવાલ થતાં આ વિસ્તારમાં આવેલી દુકાનોમાં જવું ગ્રાહકો માટે કઠિન બની જશે. તેથી દુકાનદારોના ધંધા ખતમ થઈ જશે. આ વિસ્તારમાં નોકરી મેળવતા ૧૨૦૦થી ૧૫૦૦ લોકો બેરોજગાર બની જશે.

મીઠાખળીને કાર એસેસરીઝના એસોસિયેશનના સભ્યોએ અમદાવાદના નવા મેયર હિતેશ બારોટને સંબોધીને લખેલા એક પત્રમાં જણાવવામાં આવ્યું છે કે રસ્તાના ડેવલપમેન્ટના કરવામાં આવેલા આયોજનોને જોતાં રસ્તા પર વેપાર કરનારાઓ ખતમ થઈ જશે. તેમને દુકાનોના દરવાજા સામ ેજ દોઢ ફૂટ ઊંચાઈને એક ફૂટ જાડી દિવાલો આવતા તેમની દુકાનમાં એસેસરી લેવા માટે કોઈ જ આવી શકશે નહિ. તેથી જ તેમણે રસ્તાના વિકાસની ડિઝાઈનમાં ફેરફાર કરવાની માગણી કરી છે. આ ડિઝાઈન તૈયાર કરનારાઓએ સ્થાનિક સ્તરે રોજી રળતા લોકોને તકલીફ ન પડે તેની તકેદારી રાખવી જોઈએ.

નેતાજી માર્ગ તરીકે ઓળખાતા મેયરના બંગલા સુદીના રોડ પર કામદાર બંગલાના કમ્પાઉન્ડની દિવાલ આવતી હોવાથી તે જગ્યા કપાતમા ંલઈ શકાતી નથી. પરિણામે રસ્તામાં ખાંચો પડી રહ્યો છે. રસ્તા ખાંચા અને સાંકડાં બની રહ્યા હોવાથી ટ્રાફિકની અવરજવરમાં અડચણરૃપ બનશે. તેમ જ રસ્તા પર ચાલનારા લોકોની હાલાકીમાં પણ વધારો જ થશે. આ હાલાકી ઓછી કરવા માટે રસ્તાઓ પહોળા થવા જરુરી છે. રસ્તાઓ પહોળા કરવાને બદલે મોટાભાગના લોકો રસ્તાઓને ડાઉનલૉડ કરવામાં પમ ચકમક ઝરી રહી છે.  આ નવા રસ્તાઓ તૈયાર કરવા માટે અંદાજ

કયા રસ્તાઓ સાંકડા થઈ રહ્યા છે

– મીઠાખળી છ રસ્તાથી નવરંગપુરા પોલીસ સ્ટેશન તરફ જતો રસ્તો

– મીઠીખળી છ રસ્તાથી નવરંગપુરા બસ સ્ટેસન સુધી જતો રસ્તો

– મીઠીખળી છ રસ્તાથી સીજી રોડ તરફ જતાં રસ્તા

– મીઠાખળી છ  રસ્તાથી સબ-વેમાં થઈને આશ્રમ રોડ પર ગુજરાત ચેમ્બર તરફનો રસ્તો

– મીઠાખળી છ રસ્તાથી સી.જી. રોડ તરફ જતાં માર્ગ પરની દુકાનોના કામકાજ પર અવળી અસર થશે

– સીજી રોડ પર પણ સ્ટ્રક્ચર બદલાતા દુકાનો મંદ પડી બંધ થવા માંડી

સી.જી. રોડ ખતમ થયો, દુકાનો બંધ કરી ભાડે આપી

અમ્યુકોના ડેવલપમેન્ટ પ્લાનમાં કચાશ રહેતા રસ્તાની તુલનાએ ફૂટપાથ મોટી રાખવાથી અને શોભા વધારવાની કવાયતમાં સીજી રોડ પર ખરીદી કરવા આવનારાઓને પાર્કિંગની સુવિધા ન મળતા એક જમાનામાં પોશ રોડ તરીકેની ઇેમેજ ધરાવતા સીજી રોડની ગરિમા ખતમ થઈ રહી છે. પરિણામે સંખ્યાબંધ લોકોના ધંધા તૂટવા માંડયા છે. તેથી તેમણે દુકાનો બંધ કરીને ભાડે ચઢાવી દેવાની કવાયત કરવા માંડી છે. રસ્તાના માળખામાં થયેલા ફેરફારને કારણે ગ્રાહકોની અવરજવર ઘટી ગઈ હતી.

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Read Next

સાયબર ક્રિમનલોનું પાંખ ફેલાવી રહેલું નવું બોસ સ્કેમ, હું તમારો બોસ છું, તમે મને તત્કાળ રૂ. 50000 મોકલી આપો

Most Popular