• 24 April, 2026 - 8:47 AM

નવું ફોર્મ ૧૫૭ ભરીને આવકવેરા અધિકારીઓ પાસેથીનોન ટેક્સેબલ ઇન્કમનું પ્રમાણપત્ર નહિ લો એરપોર્ટ પરથી પાછા કાઢશે

ટેક્સેબલ ઇન્કમ ન ધરાવતા કરદાતાઓએ પાનકાર્ડ ને આવકવેરા અધિકારી પાસે મેળવેલો એકનોલેજમેન્ટ લેટર સાથે રાખવો જરૃરી

વિદેશમાં વસતા સંતાનો વૃદ્ધ માતા-પિતાને પોતાની સાથે રહેવા બોલાવે ત્યારે અજાણતા  જ નોન ટેક્સેબલ ઇન્કમનું પ્રમાણપત્ર ન લેનારા માતાપિતાએ એરપોર્ટ પરથી પાછા ફરવું પડી શકે

વિદેશ ભણવા જતાં વિદ્યાર્થીઓને પણ આ હકીકતની જાણ ન હોવાથી તકલીફ પડવાની સંભાવના

વાર્ષિક રૃા. ૪ લાખથી ઓછી એટલે કે વેરાપાત્ર આવક ન ધરાવતા કરદાતાઓએ વિદેશ પ્રવાસ કરતાં પહેલા આવકવેરા અધિકારી પાસેથી નોન ટેક્સેબલ ઇન્કમ હોવાની જાણ કરતો એકનોલેજમેન્ટ લેટર મેળવવો ફરજિયાત છે. ૨૦૨૬ની સાલથી પહેલી એપ્રિલથી અમલમાં મૂકવામાં આવેલા આવકવેરાના નવા કાયદા હેઠળ આવકવેરા અધિકારી પાસેથી નોન ટેક્સેબલ ઇન્કમ જ હોવાનો  લેટર ન લીધો હોય અને વિદેશ પ્રવાસે જવા નીકળેલા પ્રવાસીને એરપોર્ટનો ઇમિગ્રેશન અધિકારી વિદેશ જવાની મંજૂરી ન આપે અને એરપોર્ટ પરથી જ પાછા મોકલી શકે છે. પહેલી એપ્રિલ ૨૦૨૬થી આ નવો નિયમ અમલમાં આવી ગયો છે. કરદાતા આવકવેરાના જે વોર્ડમાં આવતા હોય તો વોર્ડની અધિકારીઓ સમક્ષ આ ફોર્મ ભરીને રજૂ કરવાનું અને એક્નોલેજમેન્ટ લેવાનું રહેશે.

PROMOD POPAT
PROMOD POPAT

વેરાના નિષ્ણાત પ્રમોદ પોપટનું કહેવું છે કે સિનિયર સિટીઝનની કેટેગરીમાં આવી ગયેલા અને સંતાનોએ વિદેશ બોલાવ્યા હોય તેવા સંખ્યાબંદ માતાપિતાઓ ૨૦૨૬ના બજેટમાં દાખલ કરવામાં આવેલી નવા ફોર્મ ૧૫૭ની જાણકારી ન ધરાવતા હોવાથી તેમને એરપોર્ટ પરથી પરત ફરવાની નોબત આવી શકે છે. ૨૦૨૫ના નવા આવકવેરા ધારાની કલમ ૪૨૦ (૪)ં હેઠળ નોન ટેક્સેબલ ઇન્કમ હોવાનું પ્રમાણપત્રની અરજી કરી હોવાનું ફોર્મ ૧૫૭ ભરીને આવકવેરા ખાતા પાસેથી તે ફોર્મ ભર્યું હોવાની એક્નોલેજમેન્ટ રિસિપ્ટ લેવી ફરજિયાત છે. તેને વિદેશ જઈ રહેલા કરદાતાના એક ડિક્લેરેશન તરીકે જોવામં આવશે.

નાણાંકીય વર્ષમાં વેરાને પાત્ર આવક ન ધરાવતા એટલે કે વાર્ષિક રૃા. ૪ લાખથી ઓછી આવક ધરાવતા સિનિયર સિટીઝનને પરદેશમાં વસી ગયેલા તેમના છોકરાઓ બોલાવે ત્યારે તેઓ આ હકીકતથી વાકેફ હોતા નથી. તેથી આવકવેરા અધિકારી પાસેથી ફોર્મ ૧૫૭ રજૂ કર્યાનું  અને ટેક્સેબલ ઇન્કમ ન હોવાનું પ્રસ્થાપિત કરતી અરજીની આવકવેરા ખાતાના અધિકારીઓની સહીસિક્કા સાથેની નકલ રાખવી ફરજિયાત છે. આ નકલ રાખી ન હોય તો તેમને વિદેશ જતાં અટકાવી શકાય છે. એરપોર્ટ પરના અધિકારીઓ તેમની પાસેથી વેરાને પાત્ર આવક ન હોવાનું જણાવતું ફોર્મ ૧૫૭ની પહોંચ માગશે.

ભણવા જતાં વિદ્યાર્થીઓને પણ નડી શકે

ભારતમાંથી વિદેશ ભણવા જતાં વિદ્યાર્થીઓની પણ બહુધા કેસોમાં ટેક્સેબલ આવક હોતી જ નથી. તેમ જ તેમની પાસે પાનકાર્ડ પણ ન હોવાની શક્યતા રહેલી છે. તેમને પણ નોન ટેક્સેબલ ઇન્કમનુંં ફોર્મ ૧૫૭ ભરીને આવકવેરા કચેરીમાંથી ફોર્મ નંબર ૧૫૭ પર સહી કરાવી લેવી અને ફોર્મ રજૂ કર્યાની પહોંચ મેળવી લેવી ફરજિયાત છે.

Read Previous

આજે બજારમાં શું કરશો?

Read Next

મોરબીના તમામ ૭૦૦ એકમ મે માસમાં ધમધમશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular