એનઆરઆઈ (NRI) ભારતમાં રહેતા માતા-પિતાને નાણાં મોકલે છે? યોગ્ય દસ્તાવેજોના અભાવે ટેક્સ સંબંધિત પ્રશ્નો ઉભા થઈ શકે છે
એનઆરઆઈ (NRI) ભારતમાં રહેતા માતા-પિતાને નાણાં મોકલે છે? યોગ્ય દસ્તાવેજોના અભાવે ટેક્સ સંબંધિત પ્રશ્નો ઉભા થઈ શકે છે
એનઆરઆઈ પુત્ર કે પુત્રી પાસેથી મળેલી રકમ ભારતમાં માતા-પિતા માટે કરપાત્ર નથી. તેમ છતાં, પરિવારોએ વિદેશથી થતી મોટી રકમના ટ્રાન્સફરના રેકોર્ડ રાખવા જોઈએ.
અમદાવાદઃ ઘણા બિન-નિવાસી ભારતીયો (NRIs) માટે ભારતમાં રહેતા તેમના માતા-પિતાને નાણાં મોકલવા એ એક નિયમિત બાબત છે. તે માસિક ખર્ચ, આરોગ્ય સંભાળ, ઘરના સમારકામ અથવા ફક્ત નાણાકીય સહાય માટે હોઈ શકે છે. ટેક્સના નિયમો સામાન્ય રીતે માતા-પિતાના હાથમાં આવા ટ્રાન્સફરને કરપાત્ર બનાવતા નથી. જોકે, જ્યારે કોઈ મોટી રકમ બેંક ખાતામાં આવે છે અને તે ક્યાંથી આવી તે સમજાવવા માટે બહુ ઓછા કાગળો હોય ત્યારે મુશ્કેલી ઊભી થઈ શકે છે.
અમેરિકા (US) માં રહેતા એક એનઆરઆઈ સાથે સંકળાયેલો તાજેતરનો ટેક્સ વિવાદ દર્શાવે છે કે કેવી રીતે એક સામાન્ય ફેમિલી ટ્રાન્સફર પણ તપાસ હેઠળ આવી શકે છે. આ કેસ એનઆરઆઈ દ્વારા ભારતમાં રહેતા તેમના માતા-પિતાને મોકલેલા રૂ. ૧૧ લાખ સાથે સંબંધિત હતો. ‘મિન્ટ’ ના અહેવાલ અનુસાર, વર્ષો સુધી વિવાદ ખેંચાયા પછી, આ મામલો આખરે ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) સુધી પહોંચ્યો હતો, જેણે મે ૨૦૨૬ માં ટેક્સ એડિશન રદ કર્યું હતું.
આ ઘટના એનઆરઆઈ પરિવારો માટે એક ઉપયોગી પાઠ પૂરો પાડે છે: જ્યારે નજીકના પરિવારના સભ્યો વચ્ચે નાણાં ટ્રાન્સફર થઈ રહ્યા હોય ત્યારે બેંકિંગ વ્યવહારોની વિગતો, સહાયક કાગળો હાથવગા રાખવા જરૂરી છે.
-
ભારતીય કર નિયમો હેઠળ એનઆરઆઈ દ્વારા માતા-પિતાને આપેલી ભેટ (gifts) સામાન્ય રીતે ટેક્સ-ફ્રી હોય છે.
-
ITAT માંથી રાહત મળતા પહેલાં રૂ. ૧૧ લાખના ફેમિલી ટ્રાન્સફરની આકરા ચેકિંગ હેઠળ તપાસ થઈ હતી.
-
બેંક સ્ટેટમેન્ટ અને રેમિટેન્સ રેકોર્ડ્સ ભંડોળનો સ્ત્રોત (source of funds) સાબિત કરી શકે છે.
-
ગિફ્ટ ડિક્લેરેશન મોટી એનઆરઆઈ ફેમિલી ટ્રાન્સફર માટે દસ્તાવેજીકરણને મજબૂત કરી શકે છે.
-
ભારતીય આવકવેરા કાયદા હેઠળ નજીકના સગાંઓ એટલે કે માતા-પિતા, પિતા-પુત્ર વ ચ્ચે થતી નાણાકીય લેવડ-દેવડ કે ગિફ્ટ કરમુક્ત હોય છે. છતાં, વિદેશથી મોટો ભંડોળ ભારત સ્થિત એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય ત્યારે આવકવેરા વિભાગ દ્વારા તેને ‘અપ્રમાણસર કે અજાણતી આવક’ ગણીને તપાસ હેઠળ લાવવામાં આવી શકે છે.
ટેક્સ મુક્તિ અને પુરાવાની જરૂરિયાત: કાયદો ગિફ્ટ કે મદદને ટેક્સ-ફ્રી ગણે છે, પરંતુ બેંક ખાતામાં જમા થયેલી રકમ ખરેખર કાયદેસરની જ છે તે સાબિત કરવાની જવાબદારી કરદાતા માતા-પિતાની જ રહે છે. બે, ઇન્કમટેક્સ એપલેટ ટ્રિબ્યુનલ સુધી વિવાદ પણ લંબાય છે. અમેરિકાથી મોકલેલા રૂ. ૧૧ લાખ જેવા કિસ્સાઓમાં જો શરૂઆતના તબક્કેજ બેંક રેમિટેન્સ સ્લિપ, ગિફ્ટ ડીડ કે વિદેશી આવકના પુરાવા રજૂ કરવામાં ન આવે, તો આકારણી અધિકારી તેને કરપાત્ર આવક ગણી ટેક્સ અને પેનલ્ટી લગાવી દે છે. જેનો વિવાદ ઉકેલાતાં વર્ષો નીકળી જાય છે.
અમેરિકામાં નોકરી કરતો રોહન તેના ભારતમાં રહેતા નિવૃત્ત પિતાના એકાઉન્ટમાં ઘરના રિનોવેશન અને તબીબી ખર્ચ માટે એકસાથે રૂ. 15 લાખ ટ્રાન્સફર કરે છે. રોહને સામાન્ય સેવિંગ્સ એકાઉન્ટમાંથી પૈસા મોકલી દીધા, પરંતુ વિદેશી બેન્કમાંથી મળતું ફોરેન ઇનવર્ડ રેમિટન્સ સર્ટિફિકેટનો રેકોર્ડ રાખ્યો નહોતો. તેમ જ પૈસા કયા હેતુથી મોકલવામાં આવ્યા હતા તેનો કોઈ ઇ-મેઈલ કે લેખિત પુરાવો રાખ્યો નહોતો.
પરિણામે નાણાકીય વર્ષના અંતે ભારતીય બેંકો દ્વારા મોટી રકમના હાઈ-વેલ્યુ ટ્રાન્ઝેક્શનની માહિતી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને મળે છે. પિતાના એકાઉન્ટમાં અચાનક રૂ. ૧૫ લાખ જમા થતાં આવકવેરા વિભાગે કલમ 68 હેઠળ નોટિસ પાઠવી કે આ રકમ પર શા માટે ટેક્સ ન વસૂલવો તે અંગે કરદાતા પાસેથી ખુલાસો માગ્યો હતો. યોગ્ય કાગળોના અભાવે આકારણી અધિકારીએ આ રકમને ‘અન-એક્સપ્લેન્ડ ઈનકમ’ ગણી તેના પર આશરે 30 ટકાથી વધુ ટેક્સ અને દડની રકમ ઉમેરી દીધી હતી.
આકારણી અધિકારીના પિતાએ આ ઓર્ડર સામે અપીલ કરવી પડી. વિદેશમાં કમાયેલી આવક અને બેંકિંગ ટ્રાયલ સાબિત કરવા માટે અપીલેટ ઓથોરિટી અને ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના ચક્કર કાપવા પડ્યા. જેમાં કાનૂની ફી અને માનસિક તણાવનો સામનો કરવો પડ્યો.
બચાવ માટે ધ્યાનમાં રાખવાના મહત્વના દસ્તાવેજો
તેમણે કોઈ ગિફ્ટી ડીડ કે પછી કે ડીક્લેરેશન તૈયાર નહોતું કર્યું. તેમ જ વિદેશથી પૈસા આવ્યાનો અધિકૃત બેંક પુરાવો પણ રાખ્યો નહોતો. આ દસ્તાવેજો કે પુરાવાઓ સાચવી રાખવા જરૂરી છે. મોકલનાર અને મેળવનાર વચ્ચે ગિફ્ટ અંગેનું લેખિત લખાણ કે લેખિત કરાર થયેલો હોવો જરૂરી છે. તેમ જ વિદેશમાં કમાયેલી ટેક્સ પેઇડ આવકમાંથી જ પૈસા મોકલાયા છે તે દર્શાવતું સ્ટેટમેન્ટ પણ રાખવું જરૂરી છે.
