આજે શેરબજારમાં શું કરશો?
ડૉ. અગ્રવાલ્સ હેલ્થ કેરમાં લેણ કરી શકાયઃ ડૉ. અગ્રવાલ હેલ્થકેર માટેનો નવો ટાર્ગેટ ભાવ રૂ. 555નો આપવામાં આવ્યો છે
બ્રોકરેજ હાઉસ 360 વન કેપિટલે ડૉ. અગ્રવાલ હેલ્થકેરમાં લેણ કરવાની ભલામણ કરી છે. ડૉ. અગ્રવાલ હેલ્થકેર માટેનો નવો ટાર્ગેટ ભાવ રૂ. 555નો આપવામાં આવ્યો છે. શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. ૪૮૨નો છે. ડૉ. અગ્રવાલ્સ હેલ્થ કેર એ ભારતમાં સૌથી ઝડપથી વિકસતી ઓર્ગેનાઇઝ્ડ આઇ-કેર (આંખોની સારવાર) ચેઇન પૈકીની એક છે. આંખોની વધતા જતા નબળાઈના કેસો, વૃદ્ધોની સતત વધી રહેલી વસતિ અને સ્ક્રીન ટાઈમ (મોબાઈલ-કોમ્પ્યુટરનો વધુ ઉપયોગ)ના કારણે આ ક્ષેત્રમાં મોટો વિકાસ થવાનો છે, જેનો સીધો ફાયદો આ કંપનીને મળશે.
નાણાકીય વર્ષ ૨૦૨૪ માં ભારતીય આઇ-કેર માર્કેટ આશરે રૂ. ૩૭,૮૦૦ કરોડનું હતું, જે નાણાકીય વર્ષ ૨૦૨૮ સુધીમાં ૧૨-૧4 ટકાના વાર્ષિક સર્વગ્રાહી વૃદ્ધિ દર-સીએજીઆર સાથે વધીને રૂ.૫૫,૦૦૦ થી ૬૫,૦૦૦ કરોડ થવાની ધારણા છે. કંપનીએ ૨૦૧૦ થી અત્યાર સુધીમાં પોતાના નેટવર્કને ૧૩ ગણું વધાર્યું છે અને ડિસેમ્બર ૨૦૨૫ના પહેલા નવ માસના અંત સુધીમાં તેમની હોસ્પિટલોની સંખ્યા ૨૭૨ પર પહોંચાડી દીધી છે. કંપનીના હબ-એન્ડ-સ્પોક મોડલના કારણે તે નવા શહેરોમાં ઝડપથી પગપેસારો કરી રહી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૫ દરમિયાન સર્જરીના વોલ્યુમમાં ૩૫ ટકા સીએજીઆર અને દર્દીઓની સંખ્યામાં ૩૧ ટકા સીએજીઆરનો મજબૂત વધારો જોવા મળ્યો છે. પ્રીમિયમ સારવાર વધવાને કારણે મધ્યમ ગાળામાં કંપનીની આવક ૨૦ ટકાના દરે વધવાની આશા છે. આ સિવાય ઓપ્ટિકલ્સ (ચશ્મા) અને ફાર્મા પ્રોડક્ટ્સના બિઝનેસથી પણ કંપનીને મોટો ફાયદો મળી રહ્યો છે. કંપનીના મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રોથને જોતા, અમે આ શેર પર ‘બાય’ (ખરીદવા) ની સલાહ આપીએ છીએ અને રૂ. ૫૫૫ નો ટાર્ગેટ રાખીએ છીએ.
ડૉ. અગ્રવાલ્સ હેલ્થ કેરના શેરમાં બુધવારે જોવા મળેલો ૪ ટકાનો ઉછાળો દર્શાવે છે કે શેર કી-રેઝિસ્ટન્સ (મુખ્ય અવરોધ) પાર કરી ગયો છે અને ચાર્ટ પર ‘ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર’ પેટર્ન કન્ફર્મ થઈ છે. આ શેર આગામી સપ્તાહોમાં વધુ ઉપર જઈ શકે છે.
ડૉ. અગ્રવાલ હેલ્થકેરમાં લેણ કરવાની અન્ય નિષ્ણાતોએ પણ સલાહ આપી છે.
શેરમાં રૂ. 481ની ભાવ સપાટીએ લેણ કરો
શેરનો ટાર્ગેટ ભાવ રૂ. 525
શેરમાં ઘટાડે રૂ. 473ની સપાટીએ વધુ લેણ કરી શકાય
પહેલો સ્ટોપલૉસ રૂ. 451 રાખીને કામકાજ કરી શકાય
બીજા, ત્રીજો અને ચોથો સ્ટોપલૉસ અનુક્રમે રૂ. 488, 495 અને રૂ. 505નો રાખી શકાય
રૂ. 525ના મથાળે પહોંચે ત્યારે વેચીને નીકળી જવાની સલાહ આપવામાં આવેલી છે
એસ્ટ્રલ લિમિટેડમાં પણ લેણ કરી શકાય
બ્રોકરેજ હાઉસ આઈડીબીઆઈ કેપિટલ ઈક્વિટી રિસર્ચે એસ્ટ્રલ લિમિટેડના શેર્સમાં લેણ કરવાની ભલામણ કરીને તેનો ટાર્ગેટ ભાવ રૂ. 1714 નક્કી કર્યો છે. શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. 1480.50નો છે. 2025-26ના નાણાંકીય વર્ષના એસ્ટ્રલ લિમિટેડના ચોથા ક્વાર્ટરના પરિણામો નેટ સેલ્સ અને એબિટડા (EBITDA) ના મોરચે અંદાજ મુજબ જ રહ્યા છે, પરંતુ નેટ પ્રોફિટ (ચોખ્ખો નફો) અપેક્ષા કરતાં થોડો ઓછો રહ્યો છે. શરૂઆતના ૯ મહિના નબળા રહ્યા બાદ, ચોથા ક્વાર્ટરમાં કંપનીએ સારો દેખાવ કર્યો છે. વાર્ષિક ધોરણે નેટ સેલ્સ ૨૪.૨ ટકા વધીને રૂ. ૨,૦૯૦ કરોડ અને એબિટડા ૨૬.૮ ટકા વધીને રૂ. ૩૮૦ કરોડ રહ્યો છે. કંપનીનો ચોખ્ખો નફો ૧૯.૬ ટકા વધીને રૂ. ૨૧૦ કરોડ નોંધાયો છે.
મેનેજમેન્ટે નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે પ્લમ્બિંગ વોલ્યુમમાં ૧૦-૧૫ ટકા ગ્રોથની ગાઈડન્સ આપી છે. કંપનીની બેકવર્ડ ઇન્ટીગ્રેશન માટેની એટલે કે સીપીવીસી રેઝિનના પ્લાન્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને ઓક્ટોબરમાં મશીનરી ઇન્સ્ટોલ થઈ જશે. આ પ્લાન્ટ શરૂ થવાથી પાઇપિંગ બિઝનેસના માર્જિનમાં ૨૦૦ બેસિસ પોઈન્ટ્સ (૨ ટકા) નો વધારો થઈ શકે છે.
મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, છેલ્લા ૩ વર્ષથી ચાલતો પોલીમરના ભાવ ઘટાડાનો ટ્રેન્ડ હવે પૂરો થયો છે અને કિંમતો વધવાની શરૂઆત થઈ છે. ૧ જુલાઈથી પોલીમર પર ૭.૫-૮ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) ફરી લાગુ થવાને કારણે ભાવ હજુ વધશે. તાજેતરમાં શેરમાં આવેલા કરેક્શન (ભાવ ઘટાડા) બાદ આ સ્ટોક આકર્ષક સ્તરે ઉપલબ્ધ છે. અમે આ શેરને અપગ્રેડ કરીને ‘બાય’ (ખરીદવા) ની સલાહ આપીએ છીએ અને સુધારેલો ટાર્ગેટ રૂ. ૧,૭૧૪ રાખીએ છીએ.


