• 11 August, 2026 - 5:54 PM

ભાજપનું ૧૬ સભ્યના નામે મેન્ડેટઃ સુમુલના પૂર્વ ચેરમેન માનસિંહ પટેલને પડતા મૂક્યા

 

સુમુલ ડેરીની ચૂંટણીમાં રસાકસી વધવાની સંભાવનાઃ ભાજપની પોલીટિકલ પેનલઃ હરીફો સહકારી મંડળીના વગદાર સભ્યોને પસંદ કરીને ઊભા રાખવાની તૈયારીમાં

અમદાવાદઃ સુરતની સુમુલ ડેરીની ૨૬મી જૂને યોજાનારી ચૂંટણીમાં ભાજપે તેના ૧૬ સભ્યોની પેનલના નામ જાહેર કરીને તેમને નામે મેન્ડેટ જારી કરી દીધો છે જોકે તેની આ પેનલમાં પૂર્વ પ્રમુખ માનસિંહ પટેલને સુરત ડિસ્ટ્રીક્ટ કોઓપરેટીવ બેન્કના ચેરમેન નરેશ પટેલને મેન્ડેડ હેઠળની પેનલમાં સ્થાન આપ્યું નથી.

ભાજપે ઊભી કરેલી મેન્ડેટવાળી ૧૬ સભ્યની પેનલમાં ધનસુખ નાથુભાઈ પટેલ, સંદીપ જંયતીલાલ દેસાઈ, ભરત ગુમાનસિંહ સોલંકી, બળવંત મોરારભાઈ પટેલ, રેસાભાઈ વસાભાઈ ચૌધરી, જિગર દિનકર નાયક અને રાજેશ કાન્તિલાલ પાઠકનો સમાવેશ થાય છે. તદુપરાંત અમિષ મણિલાલ વસાવા, અજિત જગુભાઈ પટેલ, જાલમસંગ નાથિયાભાઈ પટેલ, યોગેશ ચૂનીલાલ રાજપૂરત, સંજન બબનભાઈ સૂર્યવંશી, હસમુખ ગોવિન્દભાઈ ગામિત, કાન્તિ રેશ્મનાભાઈ ગામિત, રાજકુમર ઇશ્વરભાઈ આહિર કખા શૈલેશ વીરસંગ પટેલનો સમાવેશ કરવામાં આવશે.

ઓલપાડ, ચોર્યાસી, પલસાણા, કામરેજ, માંડવી, મહુવા, માંગરોળ, ઉમરપાડા, બારડોલ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા, વ્યારા, સોનગઢ, વાલોડ અને ડોલવણની બેઠક પરથી ઉમેદવારોને પસંદ કરીને પેનલ બનાવી દીધી છે.

બીજીતરફ તુષાર ચૌધરીની દેખરેખ હેઠળ ઉપરોક્ત તમામ ૧૬ તાલુકાની જ કૃષિ સહકારી મંડળીઓ, દૂધ સહકારી મંડળીઓ અને સહકારી મંડળી સાથે સંકળાયેલા વગદાર ઉમેદવારને ઊભા કરીને ભાજપની પેનલ સામે ઊભા રાખવાની ગણતરી મૂકી રહ્યા છે.  આ લખાય છે ત્યારે તેમના ઉમેદવારોની પેનલના સભ્યોના પૂરા નામ જાહેર થઈ શક્યા નથી. આ બની રહેલી પેનલમા ગામકડાંની નાની નાની રજિસ્ટર્ડ મંડળીઓના ઉમેદવારોની તલાશ કરવામાં આવી રહી છે. આ મંડળીઓમાં ૭૦ ટકા મંડળીઓ પશુપાલકોની જ છે. દસ ટકા આદિવાસીઓની મંડળીઓ છે.

ભાજપે તેમની પેનલમાં છ આદિવાસી ઉમેદવારા ઊભા કર્યા છે. તેેની સામે હરીફી પેનલમાં આદિવાસીઓની સંખ્યા ૧૦થી કે તેનાથી વધારેની રહેવાની સંભાવના છે.

 

Read Previous

ગ્રામીણ સહકારી બેન્કો ફ્લક્સી કિસાન ક્રેડિટ કાર્ડ મારફતે સીમાંત ખેડૂતોને લોન આપે

Read Next

આજે શેરબજારમાં શું કરશો?

Most Popular