• 24 June, 2026 - 9:41 AM

આજે શેરબજારમાં શું કરશો?

ટ્રેડર્સ અને લાંબા કે ટૂંકા ગાળાના ઇન્વેસ્ટર્સ આજે શેરબજારમાં મિશોનો શેર ખરીદી શકે છે. મિશોના શેરનો વર્તમાન બજાર ભાવ રૂ.૧૮૭ છે. બજારના નિષ્ણાતો આ ભાવ સપાટીએ લેણ કરવાની ભલામણ કરી રહ્યા છે.

મીશો (Meesho)ના શેરનો ટૂંકા ગાળાનો આઉટલુક બુલિશ-તેજી તરફી બન્યો છે. મંગળવારે શેરના ભાવમાં ૮ ટકાથી વધુનો ઊછાળો જોવા મળ્યો હતો. આમ મજબૂતાઈ સાથે જ દિવસને અંતે બંધ રહ્યો છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં રૂ. ૧૬૫ની આસપાસ એક મજબૂત બેઝ ફોર્મેશન (તળિયું) બનાવ્યા પછી આ ઉછાળો આવ્યો છે. તેથી મે મહિનાથી ચાલી રહેલા ડાઉનટ્રેન્ડ-ઘટાડાની ચાલના અંતનો નિર્દેશ આપી રહ્યો છે. મિશોનો શેર રૂ.૧૮૦-૧૭૫ના ઝોનમાં મજબૂત ટેકો ધરાવે છે. તેની નીચે પણ રૂ.૧૭૦ની ભાવ સપાટીએ બીજો મજબૂત ટેકો ધરાવે છે. તેથી શેરનો ભાવ બહુ નીચે જવાની સંભાવના ઓછી છે.

શેરબજારના નિષ્ણાતોનું માનવું છે કે મીશોના શેરની કિંમત આગામી થોડા અઠવાડિયામાં રૂ. ૨૧૫ સુધી વધી શકે છે.

ટ્રેડર્સ અત્યારે રૂ. ૧૮૭ પર મીશોના શેર ખરીદી શકે છે.

ઘટાડે રૂ. ૧૭૮ની ભાવ સપાટીએ વધુ શેર ખરીદીને શેર્સની સરેરાશ ખરીદકિંમત નીચે લાવી શકે છે.

પહેલો સ્ટોપ-લોસ રૂ. ૧૬૮ પર રાખી શકાય છે.

શેરનો ભાવ સુધરીને રૂ. ૧૯૬ પર પહોંચે કે તરત જ સ્ટોપ-લોસ રૂ. ૧૯૨ કરી દેવાથી નફો લૉક થઈ જવાની સંભાવના રહેલી છે.

તેમ જ મિશોના શેરની કિંમત અનુક્રમે રૂ. ૨૦૩ અને રૂ. ૨૦૯ ને સ્પર્શે ત્યારે સ્ટોપ-લોસ વધારીને રૂ. ૧૯૮ અને રૂ. ૨૦૫ કરી દેવો હિતાવહ છે.

લોંગ પોઝિશનમાંથી રૂ. ૨૧૨ પર પ્રોફિટ બુક કરીને એક્ઝિટ કરી શકાય છે.

ટેક્સટાઈલ સેક્ટરની કંપની અરવિન્દમાં લેણ કરી શકાય

અરવિંદ લિમિટેડના શેરમાં ૨૦૨૬માં ૬૬ ટકાનો ઊછાળો જોવા મળ્યો છે. બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે વર્તમાન ભાવ સપાટીએ કંપનીના શેરમાં લેણ કરવાની ભલામણ કરી છે. મોતીલાલ ઓસવાલના નિષ્ણાતોનું માનવું છે કે કંપની ફેબ્રિક-કેન્દ્રીત પ્લેયરમાંથી ગારમેન્ટ્સ (તૈયાર કપડાં) આધારિત બિઝનેસમાં વ્યૂહાત્મક પરિવર્તનના આરે પહોંચી રહી છે. ટેક્સટાઈલ સેક્ટરની કંપની અરવિંદના શેરે મંગળવારના ઇન્ટ્રા-ડે ટ્રેડમાં મુંબઈ શેરબજારમાં મજબૂત બિઝનેસ આઉટલુકને કારણે ૪ ટકાનો વધારો મેળવીને રૂ. ૫૨૭.૫૦ની નવી ઊંચી સપાટી વટાવી લીધી હતી. BSE સેન્સેક્સમાં ૬૯૩ પોઈન્ટ અથવા ૦.૯૦ ટકાનો ઘટાડો થઈને સેન્સેક્સ ૭૬,૪૦૧ પર આવી ગયો હોવા છતાં અરવિન્દના શેર્સમાં સુધારો ચાલુ રહ્યો હતો.  કેલેન્ડર વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં, ટેક્સટાઈલ કંપનીના શેરની કિંમતમાં ૬૬ ટકાનો ઉછાળો આવ્યો છે, જેની સામે BSE સેન્સેક્સમાં ૧૦ ટકાનો ઘટાડો થયો છે.

ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો

જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૬ ક્વાર્ટરમાં (Q4FY26), અરવિંદની એકીકૃત આવક અને વ્યાજ, ટેક્સ, ઘસારો અને એમોર્ટિઝેશન પહેલાની કમાણી (EBITDA) અનુક્રમે રૂ.૨,૫૫૩ કરોડ અને રૂ. ૩૨૭ કરોડ રહી હતી, જે પાછલા વર્ષના સમાન ક્વાર્ટર કરતાં ૧૫ ટકા અને ૧૯ ટકા વધુ છે. કંપનીએ ચોથા ક્વાર્ટર દરમિયાન તેના માર્ગદર્શન મુજબ તમામ મુખ્ય વિભાગોમાં મજબૂત વોલ્યુમ ગ્રોથ જોયો હતો. ડેનિમ વોલ્યુમ ૧૯ ટકા વધીને ૧૭ મિલિયન મીટર થયું હતું, જેમાં સમગ્ર વર્ષનું વોલ્યુમ ૬૦ મિલિયન મીટર હતું, જે ૧૫ ટકા વધુ છે. વણાયેલા કાપડ (Woven fabric) ૫ ટકા વધીને ૩૫ મિલિયન મીટર થયું હતું, જે સમગ્ર વર્ષના વોલ્યુમને ૧૩૬ મિલિયન મીટરની સર્વકાલીન ઊંચી સપાટીએ લઈ ગયું હતું. ગારમેન્ટિંગ બિઝનેસે તેની મજબૂત ગતિ ચાલુ રાખીને સતત ત્રીજા ક્વાર્ટરમાં ૧૦ મિલિયનનો આંકડો વટાવ્યો હતો.

અરવિંદના શેરમાં હવે શું થઈ શકે

કંપની મજબૂત ઓર્ડર બુક અને સારી ઈન્ક્વાયરી પાઈપલાઈન સાથે નાણાકીય વર્ષ ૨૦૨૭ (FY27) માં પ્રવેશી રહી છે. મેનેજમેન્ટ એડવાન્સ મટિરિયલ્સમાં ઊંચા બે આંકડાના ગ્રોથ અને ગારમેન્ટ્સમાં ૧૫ ટકાની આસપાસના ગ્રોથ સાથે બે આંકડામાં વૃદ્ધિ જાળવી રાખવાની અપેક્ષા રાખે છે. કંપની સપ્ટેમ્બર 2026 પછીના છ માસમાં ડિમાન્ડમાં જોવા મળનારી સંભવિત અસ્થિરતા પ્રત્યે સચેત છે, જે ઊંચા ફુગાવાના દબાણ અને ચાલુ વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે હોઈ શકે છે, જે બજારોમાં ગ્રાહકોના વૈકલ્પિક વપરાશ પર અસર કરી શકે છે. વધતા ફુગાવા અને અન્ય વૈકલ્પિક વપરાશને અસર કરતી વૈશ્વિક અનિશ્ચિતતાઓને લીધે, ખાસ કરીને બીજા ભાગમાં માંગમાં વિક્ષેપ આવી શકે છે. તમામ પ્રોડક્ટ લાઇન પર ઇનપુટ ખર્ચ તીવ્રપણે વધ્યો છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૭ના પ્રથમ છ માસમાં માર્જિન પર દબાણ લાવી શકે છે. બીજા છ માસિક ગાળામાં માર્જિન રિકવરીની અપેક્ષા છે, પરંતુ તે ભૌગોલિક રાજકીય તણાવ હળવો થવા પર નિર્ભર છે.

અરવિંદ ટેક્સટાઈલ બ્રિટન અને યુરોપિયન સંઘ સાથેના મુક્ત વ્યાપાર કરારો-FTAનો, સાનુકૂળ ટેરિફ તથા રાજ્ય અને કેન્દ્રીય કર અને વસૂલાતની છૂટ સાથે આપવામાં આવી રહેલા નવા પ્રોત્સાહનોને ટેકો મળતાં ટેક્સટાઈલ કંપનીઓની નિકાસ વૃદ્ધિ પુનઃ પ્રાપ્ત થવાની અપેક્ષા છે.

ભારત સરકાર ટેક્સટાઈલ માર્કેટને નાણાકીય વર્ષ ૨૦૨૬માં $૧૯૪ બિલિયનથી વધારીને $૩૫૦ બિલિયન સુધી પહોંચાડવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે, જે ૧૩ ટકાનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (CAGR) દર્શાવે છે, જે મજબૂત નિકાસ વૃદ્ધિ (૨૨ ટકા CAGR) અને સ્થિર સ્થાનિક માંગ (૧૦ ટકા) દ્વારા સંચાલિત છે. વૈશ્વિક એપેરલ ટ્રેડમાં ભારતનો હિસ્સો માત્ર ૪-૫ ટકા હોવાથી, બજાર હિસ્સાની નોંધપાત્ર તકો બાકી છે, કારણ કે વૈશ્વિક બ્રાન્ડ્સ ચીન સિવાય અન્યત્ર સોર્સિંગનું વૈવિધ્યકરણ કરી રહી છે અને મોટા પાયાના સપ્લાયર્સને વધુ પસંદ કરી રહી છે, જેનો લાભ અગ્રણી ભારતીય ટેક્સટાઈલ નિકાસકારોને મળશે. તેનો લાભ અરવિન્દ ટેક્સટાઈલને પણ મળશે એમ મોતીલાલ ઓસવાલના ટેક્સટાઈલ સેક્ટરના રિપોર્ટમાં જણાવવામાં આવેલું છે. અરવિંદ ફેબ્રિક-કેન્દ્રીત પ્લેયરમાંથી ગારમેન્ટ્સ-આધારિત બિઝનેસમાં વ્યૂહાત્મક પરિવર્તનના આરે છે. પરિણામે કંપનીને બહુ જ મોટું બજાર મળવાનું છે. ઉપરાંત, AMD સેગમેન્ટ તેની શ્રેષ્ઠ માર્જિન પ્રોફાઇલ અને મજબૂત વૃદ્ધિની સંભાવના સાથે ટેકો આપશે તેવી અપેક્ષા છે.

MOFSL ના વિશ્લેષકો નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૮ દરમિયાન આવક, EBITDA અને એડજસ્ટેડ નેટ પ્રોફિટમાં અનુક્રમે ૧૫ ટકા, ૨૩ ટકા અને ૨૯ ટકાના CAGR નો અંદાજ મૂકે છે. મોતીલાલ ઓસવાલના નિષ્ણાતોએ રૂ.૬૭૦ ના ટાર્ગેટ પ્રાઇસ સાથે અરવિંદ પર ‘બાય’ રેટિંગ આપ્યું છે.

નોંધઃ ક પર શેર કરાયેલા વિચારો અને આઉટલુક સંબંધિત બ્રોકરેજના છે અને બિઝનેસ સ્ટાન્ડર્ડ દ્વારા સમર્થન આપવામાં આવતું નથી. વાચકોને પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવે છે.

Read Previous

ભાજપનું ૧૬ સભ્યના નામે મેન્ડેટઃ સુમુલના પૂર્વ ચેરમેન માનસિંહ પટેલને પડતા મૂક્યા

Most Popular