ભારતે US સેક્શન 301 ની ધમકીઓ સામે ઝૂકીને એકતરફી વેપાર કરાર ન કરવો જોઈએ

ભારતે કલમ 301ની ચિંતાઓને એકતરફી પગલાં સ્વીકારી લેવાને બદલે સંવાદ દ્વારા ઉકેલવી જોઈએ. ભારતે પોતાની વિકાસલક્ષી પ્રાથમિકતાઓને સુરક્ષિત પણ રાખવી જોઈએ.
ભારત અત્યારે બળજબરીથી મજૂરી (forced labour) ના આરોપસર 12.5 ટકાના પ્રસ્તાવિત ટેરિફનો સામનો કરી રહ્યું છે. તેની સાથે જ વધુ પડતી ક્ષમતા બાબતે સેક્શન 301 ની તપાસના રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. ભારતના નિષ્ણાતોનું માનવું છે કે સરકારે આ બાબતોને ભારત-અમેરિકા વચ્ચેના ચાલુ વેપાર વાટાઘાટો સાથે જોડવી ન જોઈએ, કારણ કે વોશિંગ્ટનના એકતરફી પગલાં વૈશ્વિક નિયમોનું ઉલ્લંઘન કરે છે અને લાંબા ગાળાની નીતિની કોઈ ખાતરી આપતા નથી.
વેપાર નિષ્ણાતો ચેતવણી આપે છે કે અમેરિકાના આક્રમક પગલાં સામે રક્ષણ મેળવવા માટે માત્ર દ્વિપક્ષીય કરાર પર આધાર રાખવો નિષ્ફળતા અપાવી શકે છે. તેઓ દલીલ કરે છે કે 12.5 ટકાના ટેરિફ જેવા પગલાંનો સ્વતંત્ર રીતે સામનો કરવો જોઈએ. WTO નિષ્ણાતનું કહેવું છે કે, “બળજબરીથી મજૂરીના ખોટા દાવા પર 12.5 ટકાના પ્રસ્તાવિત ટેરિફ WTO નિયમોનું ઉલ્લંઘન છે. જો તેને લાગુ કરવામાં આવે તો તેને WTO માં પડકારવું જોઈએ.”
ભૂતપૂર્વ વેપાર વાટાઘાટકાર અભિજીત દાસે આ બાબતે સાવધ રહેતા કહ્યું કે, “WTO ના દ્રષ્ટિકોણથી ગેરકાયદેસર એવા 301 ટેરિફનો ઉકેલ વેપાર કરાર દ્વારા લાવવો જોખમી છે. ટ્રમ્પ તેમના કરારનું પાલન કરશે તેની કોઈ ખાતરી નથી. ભારતે અમેરિકા સામે વળતું પગલું ભરવાની રાજકીય ઈચ્છાશક્તિ બતાવવી જોઈએ.”
વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે તાજેતરમાં સંકેત આપ્યો હતો કે જુલાઈના મધ્યમાં ભારત-અમેરિકા વચ્ચે વચગાળાનો વેપાર કરાર થઈ શકે છે, પરંતુ અમેરિકાના ટેરિફ અંગે સ્થિતિ સ્પષ્ટ નથી. ફેબ્રુઆરીની રૂપરેખા મુજબ અમેરિકા ભારતીય માલસામાન પર 18 ટકાના ઊંચા ટેરિફ લાદી શકે છે, જ્યારે ભારતે ઔદ્યોગિક અને કૃષિ માલસામાન પરની આયાત ડ્યુટી ઘટાડવી પડશે.
નિષ્ણાતો એ પણ કહે છે કે અમેરિકા સાથેનો કરાર ભવિષ્યના વેપાર સંઘર્ષો સામે કોઈ સુરક્ષા આપતો નથી. અમેરિકા સાથેનો FTA ભવિષ્યમાં ટેરિફ વિવાદો સામે કોઈ વીમો નથી. આ નિષ્ણાતોએ તકનીકી અને વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે અમેરિકાના દાવાઓને પડકારવાનું સૂચન કર્યું છે. અમેરિકા ઘણાં છૂટછાટો માંગશે. આપણે ઊંચા ટેરિફ અને અમેરિકા માંગતી છૂટછાટો વચ્ચેના નફા-નુકસાનનું ગણિત માંડવું પડશે.
નિ ષ્ણાતોના મતાનુસાર કલમ 301 ની ચિંતાઓને એકતરફી પગલાં લેવાને બદલે સંવાદ દ્વારા ઉકેલવી જોઈએ. ભારતે પોતાની વિકાસલક્ષી પ્રાથમિકતાઓને સુરક્ષિત રાખવી જોઈએ.
સેક્શન 301 વેપાર વાટાઘાટોમાં ભારતને અમેરિકા સામે લાભ આપી શકે છે’, પીયૂષ ગોયલ
ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે અમેરિકાના કલમ 310 હેઠળના ટેરિફ પ્લાન અંગે બોલતા જણાવ્યું છે કે બળજબરી પૂર્વકની મજૂરી (forced labour)ના આરોપસર જે ટેરિફ લાદવાની વાત છે, તે હકીકતમાં ભારત માટે સ્પર્ધાત્મક લાભ ઊભો કરવાના વોશિંગ્ટનના પ્રયાસોનો એક ભાગ છે.
અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીયર ભારત-યુએસ વચગાળાના વેપાર કરારને આખરી ઓપ આપવા માટે આગામી બે અઠવાડિયામાં ભારતની મુલાકાત લેશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જુલાઈ સુધીમાં આ કરાર થઈ જશે. તેમણે વધુમાં કહ્યું હતુ કે “આ સેક્શન 301 તપાસ એક પ્રકારની વ્યવસ્થા છે. અમેરિકી કોંગ્રેસ તેમના અન્ય ટેરિફ પગલાંને ટેકો આપી રહી નથી, તેથી તેઓ ભારત માટે સ્પર્ધાત્મકતા વધારવા માટેનો જ આ એક પ્રયાસ છે. અમારે સેક્શન 301 વિશે ચિંતા કરવાની જરૂર નથી, અમે તેને હેન્ડલ કરી લઈશું.
કલમ 310 હેઠળના કરારમાં ધ્યાન રાખવા પાત્ર મુદ્દાઓ
પિયૂષ ગોયલે કહ્યું હતુ કે જ્યાં સુધી રોકાણ ‘ઈચ્છનીય ક્ષેત્રો’માં હોય, ત્યાં સુધી સરકારને ચીનથી આવતા રોકાણ સામે કોઈ સમસ્યા નથી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત RCEP માં જોડાશે નહીં. ચીન સાથેની વધતી જતી વેપાર ખાધ ઘટાડવા માટે ભારત સ્થાનિક ક્ષમતા વધારવા અને ડમ્પિંગ જેવી અન્યાયી વેપાર પ્રથાઓ સામે કડક પગલાં લેશે.
બ્રિટન સાથેના સાથે કરાર: પિયૂષ ગોયલે સંકેત આપ્યો હતો કે જો બ્રિટન સ્ટીલની આયાત પર ટેરિફ લાદશે, તો ભારત પણ તેના વળતા જવાબમાં કરાર હેઠળ આપેલી કેટલીક છૂટછાટો પાછી ખેંચી શકે છે. ભારતનો આ વર્ષે કુલ આયાત-નિકાસનો લક્ષ્યાંક $1 ટ્રિલિયન સુધી પહોંચવાનો છે, અને 2047 સુધીમાં તેને $6 ટ્રિલિયન સુધી લઈ જવાનો છે.



